બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂત મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં 8 સપ્ટેમ્બરે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે તેને જામીન મળ્યા છે. બોમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી આજે ચુકાદો આપ્યો હતો. 1 મહિનાથી જેલમાં બંધ રિયાએ નીચલી અદાલતમાંથી બે વખત અરજી રદ થયા બાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે જામીન મળ્યા બાદ રિયા એક મહિના બાદ જેલમાંથી બહાર આવી. ત્યારે રિયાને જામીન મળ્યા બાદ બોલિવૂડના ઘણાં સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. જેમાં તાપસી પન્નૂથી લઈને અનુભવ સિન્હા સામેલ છે.
રિયાને જામીન મળ્યા
એક મહિના બાદ જેલમાંથી બહાર આવી રિયા
તો બોલિવૂડ સેલેબ્સે આપી આવી પ્રતિક્રિયા
એક્ટ્રેસ તાપસી પન્નૂએ રિયાની જામીન પર ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું કે આશા રાખું છું કે જેટલો સમય તેણે જેલમાં વિતાવ્યો છે. તેનાથી અનેક લોકોના અહંકારને સંતુષ્ટી મળી હશે. જે લોકો સુશાંતને ન્યાય અપાવવાના નામ પર પોતાના પર્સનલ અને પ્રોફેશનલ એજન્ડા પુરા કરી રહ્યા હતા. હું પ્રાર્થના કરું છું કે તે પોતાના આવનારા જીવનમાં કોઈ કડવાશ પેદા ના કરે. જીવન અન્યાયી છે. પણ હજી આ બધુ પૂરું નથી થયું. ત્યારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ મુંબઇ હાઇકોર્ટને ટેગ કરીને બે હાથ જોડેલા ઇમોજીને શેર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Hope her time in jail has sufficed the egos of a lot of people out there who in the name of justice for Sushant fulfilled their personal/professional agendas.Praying she doesn’t become bitter towards the life she has ahead of her.
Life is Unfair but Atleast it’s not over as yet. https://t.co/TGnbRZSL83
Hey! Now thay both CBI and AIIMS have concluded that #SushantSinghRajput tragically died by suicide... weren’t some people going to return their government bestowed awards??? 🤔🤔🤔
આ સિવાય જાણીતા ફિલ્મમેકર અનુભવ સિંહાએ રિયાની જામીન પર ટ્વિટ કરતા કહ્યું કે છેવટે તેને જામીન મળી ગઈ. #RHEACHAKRABORTY'. આ સિવાય બીજા પણ કેટલાક સેલેબ્સે રિયાના જામીન પર તેને સપોર્ટ કરતા ટ્વિટ શેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે રિયાને ભલે જામીન મળી ગયા હોય ડ્રગ્સ કેસમાં રિયાનો ભાઇ શૌવિક ચક્રવર્તી, અબ્દુલ બાસિત પરિહાર, દીપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાન્ડાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. હવે આવનારા સમયમાં આ કેસ કયો વળાંક લે છે એ જોવાનું રહ્યું.