રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમની અરજી ફગવી દેવામાં આવી હતી. એનસીબીએ ડ્રગ લિંક હોવાના કારણે રિયાની ધરપકડ કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ, રિયાએ જામીન અરજીમાં દાવો કર્યો છે કે તેને આ બધું કહેવાની ફરજ પાડવામાં આવી હતી. તેણે કોઈ ગુનો કર્યો નથી.
રિયાએ હવે પોતાની અરજીમાં NCB પર લગાવ્યો આરોપ
રિયાએ કહ્યું મને આ બધું કહેવા માટે એનસીબીએ મજબૂર કરી
રિયાએ કહ્યું- તેણે કોઈ ગુનો કર્યો નથી
રિપોર્ટ અનુસાર જામીન અરજીમાં જણાવાયું છે કે, રિયાએ કોઈ ગુનો કર્યો નથી અને તેને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. રિયા પાસેથી જબરદસ્તી આ બધી કબૂલાત કરાવવામાં આવી છે અને 8 સપ્ટેમ્બરના રોજ આપેલી અરજીમાં તે આ કબૂલનામા ખોટો ગણાવ્યો છે.
રિપોર્ટ અનુસાર, રિયાએ એનસીબી સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ક્યારેય ગાંજા લીધું હશે. તેણે એમ પણ કહ્યું હતું કે સુશાંતના કહેવા પર તેણે ડ્રગ્સ લીધું હતું. રિયાની ડ્રગ ચેટ પણ સામે આવી ચૂકી છે જેમાં તે તેના ભાઈ શોવિક ચક્રવર્તી પાસે ડ્રગ્સની માંગ કરી રહી હતી.
રિયાને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈ હતી. રિયા ભાયખલા જેલમાં છે. તેની અરજી પર ગુરુવારે સુનાવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટની કલમ 27 એ, 21, 22, 29 અને 28 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.