અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક ટ્વિસ્ટ આવી રહ્યાં છે. CBIને તપાસ સોંપાયા બાદ રિયાની તકલીફો વધી છે. થોડા સમય પહેલા રિયાએ જાતે જ CBI તપાસની માગ કરી હતી અને હવે તેણે પોતે જ બિહાર પોલિસમાં તેના વિરુદ્ધ થયેલી FIRને સુપ્રિમ કોર્ટમાં લલકારી છે અને CBI તપાસનો પણ વિરોધ કર્યો છે. એક સમયે અમિત શાહ પાસે તપાસની માંગ કરનાર રિયા હવે શા કારણે CBI તપાસ નથી ઇચ્છતી?
અમિત શાહને કરી હતી અરજ
CBI તપાસ નથી ઇચ્છતી રિયા
સુપ્રિમ કોર્ટ આપશે નિર્ણય
Respected @AmitShah sir ,
I’m sushants Singh Rajputs girlfriend Rhea chakraborty,it is now over a month since his sudden demise
I have complete faith in the government, however in the interest of justice , I request you with folded hands to initiate a CBI enquiry..part 1 ..
રિયાએ પોતાની ફરિયાદમાં લખ્યુ છે કે સુશાંતની મોત બાદ CBI તપાસ થવી તે પોલિટીક્સ છે. તેણે ત્યાં સુધી કીધુ કે બિહાર પોલિસ કે CBIને આ કેસની તપાસનો અધિકાર જ નથી. આ એજ રિયા છે જેણે પોતાના વિરુદ્ધ ફરિયાદ થઇ તે પહેલા ગૃહમંત્રી અમિત શાહ પાસે CBIની માગ કરી હતી. હવે તેને જ CBI તપાસથી વાંધો છે.
Part 2.. I request you with folded hands to initiate a CBI enquiry into this matter . I only want to understand what pressures , prompted Sushant to take this step.
Yours sincerely #satyamevajayate@AmitShah sir
હવે સવાલ એ છે કે રિયાના આ યુટર્નનુ રાઝ શું છે. તેનો જવાબ રિયાએ સુપ્રિમ કોર્ટમાં આપેલ હલફનામામાં છે. રાજનૈતિક પ્રકરણો ગરમાતા બિહાર અને મહારાષ્ટ્ર સરકાર સામ સામે આવી ગઇ અને જેથી રિયાને લાગ્યું કે મહારાષ્ટ્ર સરકારનો પક્ષ તેની તરફ છે ત્યારે તેણે સમગ્ર કેસને મુંબઇ ટ્રાંન્સફર કરવાની માંગ કરી હતી. અને હવે CBI તપાસનો પણ વિરોધ કરવા લાગી.
હવે CBI તપાસ શરૂ થઇ ચૂકી છે, આ મામલામાં અલગ અલગ વ્યક્તિઓ અને ઘટનાઓ ઉમેરાતી ગઇ છે પરંતુ છેલ્લો નિર્ણય તો સુપ્રિમ કોર્ટ જ લેશે.