સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુશાંતના પિતાએ રિયા પર સ્યુસાઇડ માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તે સિવાય પણ કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે સાથે જ સુશાંતના પિતાના વકીલે માંગ કરી છે કે રિયાની ધરપકડ કરવામાં આવે, કારકણકે કેસ પટનામાં નોંધાયો છે તો મુંબઇની સાથે બિહાર પોલિસે પણ તજવીજ હાથ ધરી છે.
સુશાંત કેસમાં નવો વળાંક
રિયાએ કબૂલ્યુ કે તે સુશાંતના ઘરે નહોતી
કેસ મુંબઇ ટ્રાન્સફર કરવાની કરી માગ
બિહાર પોલિસ હવે આ કેસમાં એક્ટિવ થઇ ગઇ છે જ્યારે બીજી તરફ રિયા ચક્રવર્તિએ તેની અરજીમાં ખુલાસો કર્યો છે કે તે એક વર્ષથી સુશાંત સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતી હતી પરંતુ 8 જૂને તે ટેમ્પરરી પોતાના ઘરે ચાલી ગઇ હતી. સાથે જ તેણે જણાવ્યું કે સુશાંત ડિપ્રેશનમાં હતો.
એક રિપોર્ટ અનુસાર રિયાએ તના પર લાગેલા દરેક આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, આ બધા આરોપો માત્ર વાર્તાઓ છે. તેણે પિટીશનમાં લખ્યુ છે કે પટનામાં સુશાંતના પરિવારનો પ્રભાવ વધુ છે એટલે ત્યાં નિષ્પક્ષ તપાસ નહી થાય.
તમને જણાવી દઇએ કે, 14 જૂન એટલે કે રિયાના સુશાંતને છોડીને ગયાના 6 દિવસ બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતનું કારણ ડિપ્રેશન કહેવામાં આવી રહ્યું છે. સુશાંતના મોતને બે મહિના થવા આવ્યા છે પરંતુ તેનું મોત એક રહસ્ય બનીને રહી ગયુ છે.