હરિયાણામાં કોરોનાના સંક્રમણનો કહેર યથાવત છે. રેવાડીમાં મંગળવારે 5 સરકારી અને 3 ખાનગી સ્કૂલોમાં 80 બાળકો કોરોનાગ્રસ્ત જોવા મળ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત મળતા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા શિક્ષા અધિકારીએ પ્રભાવિત સ્કૂલોને 15 દિવસો સુધી બંધ રાખવા તથા સેનેટાઈઝ કરવાનો આદેશ આપ્યો છે.
15 દિવસો સુધી બંધ રાખવા તથા સેનેટાઈઝ કરવાનો આદેશ આપ્યો
5 સરકારી અને 3 ખાનગી સ્કૂલોમાં 80 બાળકો કોરોનાગ્રસ્ત
પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો
હરિયાણા સરકાર તરફથી જારી ગાઈડલાઈન મુબજ 2 નવેમ્બરથી 9માંથી 12માં ધોરણ સુધીની સ્કૂલોને નિયમિત રીતે ખોલવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે દિવાળી પહેલા ખાનગી અને સરકારી સ્કૂલોના 837 બાળકોના સેમ્પલ લીધા હતા. હવે આ સેમ્પલોનો રિપોર્ટ આવ્યો છે.
જે સ્કૂલોમાં પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે તેમાં આદર્શ રાજકીય વરિષ્ઠ માધ્યમિક કુંડમાં 19, રાજકિય વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલય પાલીમાં 6, રાજકીય સ્કૂલ મસાનીમાં 6, રાજકિય સ્કૂલ શ્યોરાજ માજરામાં 2, રાજકીય સ્કૂલ આશિયાકીમાં 2 અને રાજકીય સ્કૂલ માજરા શ્યોરાજમાં 2 કોરોનાગ્રસ્ત જોવા મળ્યા છે. આ ઉપરાંત 3 ખાનગી સ્કૂલોમાં 43 કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળ્યા છે.
આટલી મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો કોરોનાગ્રસ્ત મળતા ઉપાયુક્ત યશેન્દ્ર સિંહે જિલ્લા શિક્ષા અધિકારી રાજેશ કુમાર સાથે વાતચીત કરી જરુરી પગલા ભરવાના આદેશ આપ્યા છે. શિક્ષા વિભાગ તરફથી 15 દિવસો સુધી પ્રભાવિત સ્કુલોને બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
કલેક્ટર યશેન્દ્ર સિંહે જણાવ્યું કે જિલ્લામાં કોરોના સંક્રમણથી બચવા માટે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હજું સુધી 104821 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 9245 કોરોના પોઝિટિવ મળ્યા છે. જેમાંથી 8709 નાગરિક કોરોનામાંથી સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 45 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 491 છે.