રાજ્યમાં ખેડૂતોને વીજળી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તેવા હેતુસર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની સ્થિતિથી વાકેફ કર્યા
સાવલીના ધારાસભ્ય ઈનામદારનો પત્ર
ખેડૂતોની વહારે આવવા મુખ્યમંત્રીને પત્ર
સવારે 7 વાગ્યાથી આપો ખેડૂતોને વીજળી
વડોદરામાં MS યૂનિવર્સિટીની ભરતીમાં પણ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી જેવી બૂ આવી જતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અવાજ ઉઠાવી કોઈ પણ પ્રકારની ગેરરીતી નહિ ચલાવી લેવાનો આવાજ ઉઠાવ્યા બાદ હવે, ખેડૂતોના મુદ્દે ઈનામદાર સક્રિય થયા છે. આ માટે થઈને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
પ્રયાપ્ત આપો વીજળી -ખાલી જગ્યા પણ ભરો
રાજ્યમાં ખેડૂતોને વીજળી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તેવા હેતુસર વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્ય્મ્નાત્રીને પત્ર લખી ખેડૂતોની સ્થિતિથી વાકેફ કર્યા છે. તેમણે કહ્યું છે કે, ખેડૂતોને વીજ પ્રવાહ માટે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાય સમયથી 3 કલાકથી 7 કલાક જેટલો જ વીજ પૂરવઠો ફાળવાઈ રહ્યો છે. પોતાના મતવિસ્તારના ખેડૂતો પ્રયાપ્ત વીજ પૂરવઠાના અભાવે પરેશાનીનો ભોગ બન્યા છે. પત્રમાં ઉલ્લેખ કરી જણાવ્યું કે, ખેડૂતોને સવારે 7 વાગ્યાથી વીજ પ્રવાહ આપવો જરૂરી છે.માટે રાજ્ય સરકાર આ અંગે કઈક ઘટતું કરે તેવા પ્રયત્નો જરૂરી છે. ખેડૂતની સ્થિતિના ચિતાર બાદ, ધારાસભ્ય ઇનામદારે સાવલી નર્મદા નહેર યોજનાની કચેરીમાં ખાલી જગ્યાઓ ભરવા પણ માંગણીઓ કરી છે.ખાલી જગ્યાઓ ના પૂરાવાના કારણે કેનાલમાં ગાબડુ રીપેરીંગ કરવામાં ઘણો સમય નીકળી જતો હોવાની પણ રાવ કરી છે.
લોકસેવાના મુદ્દા
વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર છેલ્લા ચાર-પાંચ વર્ષથી સક્રિય થયા છે અને વડોદરામાં યોજાયેલા વડ ફેસ્ટ બાદ, કેટલાય મુદ્દાઓ પર તેમની નારાજગી ખુલીને સામે આવી છે. જે તે સમયે પ્રભારી રહેલા પૂર્વ પ્રવક્તા અને ભાજપના નેતા ભરત પંડ્યા પણ દરમિયાનગીરી કરી, ઇનામ દારને મનાવવા વડોદરા પહોચ્યા હતા. વિવાદ ડેરી નો હોય કે પછી યૂનિવર્સિટીનો. કે પછી ખેડૂતોને વીજળી હોય કે ભરતી માટે માંગ. ઈનામદાર વાર-તહેવારે ખાંડા ખખડાવવા માંડ્યા છે