સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે 'દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ, થીનર સોલ્યુશન સૂંઘો કે આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો પણ પાણીની કિંમત સમજો.'
સાંસદ જનાર્દન મિશ્રાનું એક વિચિત્ર નિવેદન
દારૂ પીઓ સોલ્યુશન સૂંઘો પરંતુ પાણી બચાઓ
આ પહેલા પણ ઘણા નિવેદનો આપી ચુક્યા છે
મધ્યપ્રદેશના રીવાથી સાંસદ જનાર્દન મિશ્રાએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે 'દારૂ, ગાંજા, કોરેક્સ પીઓ, થીનર સોલ્યુશન સૂંઘો કે આયોડેક્સ ખાઓ, કંઈ પણ કરો પણ પાણીની કિંમત સમજો.' વાસ્તવમાં, મધ્યપ્રદેશના સ્થાપના દિવસ પર, રીવાના સાંસદ જનાર્દન મિશ્રા રીવાના કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમમાં જળ સંરક્ષણ અને પ્રમોશન પર વર્કશોપ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મિશ્રાએ કહ્યું કે વીજળી બિલ માફ કરી શકાય છે, મફત રાશન પણ મળી શકે છે કારણ કે સરકારો ચૂંટણી સમયે મોટા મોટા વચનો કરતી હોય છે. પરંતુ, જો કોઈ મફત પાણીની વાત કરે, તો તેઓનો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે તે શક્ય નથી.
પાણીનું મહત્વ વિશેના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
આ સંદર્ભમાં જનાર્દન મિશ્રાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કૃષ્ણ રાજ કપૂર ઓડિટોરિયમ ખાતે પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘હર ઘર જલ’ જલ જીવન મિશન અંતર્ગત સામાન્ય લોકોને જળ સંરક્ષણ અને પાણીના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર રીવા, પીએચઈ શરદ સિંહ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Rewa, Madhya Pradesh: "Lands are running dry of water, it must be saved... Drink alcohol, chew tobacco, smoke weed or smell thinner and solution but understand the importance of water," says BJP MP Janardan Mishra during a water conservation workshop pic.twitter.com/Nk878A9Jgc
રીવાના સાંસદ જનાર્દન મિશ્રા આપી ચૂક્યા છે નિવેદન
ઉલ્લેખનીય છે કે રીવાના સાંસદ જનાર્દન મિશ્રા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તે અનેક વિચિત્ર નિવેદન આપીને વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. આ સાથે તે નિવેદનોને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. મિશ્રાએ સ્વચ્છતા અંગે નિવેદન આપ્યું હતું કે સ્વચ્છતાના સાધનોનો ઉપયોગ કર્યા વિના હાથથી શૌચાલય સાફ કરો. એટલું જ નહીં, સાંસદ જનાર્દન મિશ્રાએ ભ્રષ્ટાચારના મામલામાં અધિકારીઓને જમીનમાં દાટી દેવાની વાત પણ કરી હતી. જે બાદ તેને વિવાદોનો સામનો કરવો પડ્યો હતો.
સાંસદનો વિડિયો થયો વાઇરલ
પોતાના વક્તવ્યને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહેનાર બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ પહેલા તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે 'ડસ્ટબીનમાં આગ લગાડનારાઓને ફાંસી આપવામાં આવે'. વાસ્તવમાં, આ નિવેદન પહેલા, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કચરાથી ભરેલી ડસ્ટબીનમાં આગ લગાડવામાં આવી હતી. સાંસદ જનાર્દન મિશ્રાએ મહાનગરપાલિકા કચેરીમાં સ્વચ્છતા અંગેના ભાષણ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.