કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health & Family Welfare) ના સામાન્ય લક્ષણો જોવા મળે તો કે લક્ષણો ન હોય તો પણ કોરોનાના દર્દીને માટે હોમ આઈસોલેશનની ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં સરકારની તરફથી કહેવાયું છે કે કઈ પરિસ્થિતમાં વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. સરકારે 10 મેના નિર્દેશને બદલીને નવા નિર્દેશ જાહેર કર્યા છે. સરકારના નવા નિયમો સાથે સામાન્ય લક્ષણના દર્દીઓ ઘરે જ સારવાર લઈ શકશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
સામાન્ય લક્ષણો વાળા દર્દીઓ માટે હોમ આઈસોલેશનના નવા નિયમો
સરકારના નિયમોનું પાલન કરીને ઘરે જ રહી શકાશે
સરકારની તરફથી આપવામાં આવેલી ગાઈડલાઈનના આ છે નિયમો
સરકારની તરફથી કહેવાયું છે કે લક્ષણો વિનાના દર્દીને હોમ આઈસોલેશનને માટે મેડિકલ ઓફિસરની જરૂર રહેશે નહીં. એવા લોકોના ઘરે સેલ્ફ આઈસોલેશનની સુવિધા જરૂરી છે. આ સાથે પરિવારના લોકોને માટે પણ ક્વૉરન્ટાઈનની સુવિધા પણ જરૂરી છે. જેમની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે તેવા એચઆઈવી, ટ્રાંસપ્લાન્ટ કરાવનારા દર્દીઓ, કેન્સર થેરાપી કરાવી રહેલા લોકો માટે હોમ આઈસોલેશન માન્ય નથી. 60 વર્ષથી વધારે ઉંમરના નિયમોના દર્દીઓ પહેલાંથી અનેક વધુ બીમારીઓથી પીડીત છે જેવી કે હાઈપરટેન્શન, ડાયાબિટીસ, હ્રદય રોગ, ફેફસા, લીવર, કિડનીની બીમારીથી પીડિત, મસ્તિષ્કની બીમારીથી પીડિત મેડિકલ ઓફિસરની તપાસ બાદ જ ઘરે રહેવાની પરમિશન મળશે.
Ministry of Health & Family Welfare releases revised guidelines for home isolation of very mild/pre-symptomatic/asymptomatic #COVID-19 cases. pic.twitter.com/Jy6FowEouM
જે વ્યક્તિ બીમાર છે તેનો ખ્યાલ રાખવા માટે 24 કલાક 7 દિવસ હાજરી જરૂરી છે. હોમ આઈસોલેશન દરમિયાન હોસ્પિટલનો સંપર્ક જળવાઈ રહે તે જરૂરી છે. બીમાર વ્યક્તિ અને તેના નજીકના સગાનો ઈલાજ કરી રહેલા ડોક્ટરની સલાહથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન પ્રોફાએલેક્સિસ લેવી. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અને દરેક સમયે બ્લૂટ્રૂથ કે વાઈફાઈની મદદથી એક્ટિવ રહેવું. દર્દીએ પોતાની હેલ્થનો ખ્યાલ રાખવો અને જિલ્લા સર્વિલાંસ અધિકારીને નિયમિત રીતે જાણકારી આપતાં રહેવું જેથી તે ટીમની મદદથી દેખરેખ કરી શકે.
દર્દીએ સેલ્ફ આઈસોલેશનને માટે બનાવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે અને સારવાર કરી રહેલા ડોક્ટરને સંપૂર્ણ રીતે નક્કી કર્યા બાદ જ હોમ આઈસોલેશનની સુવિધા અપાશે.
દર્દીએ કરવાનું રહેશે આ કામ
દર્દીએ દરેક સમયે માસ્ક પહેરવાનું રહેશે અને દર 8 કલાકમાં તેને બદલવાનું રહેશે. દર્દીને અલગ રૂમમાં રહેવાનું રહેશે અને વૃદ્ધ અને પહેલાંથી બીમાર લોકોથી દૂર રહેવાનું રહેશે. તેણે પોતાની હેલ્થને રોજ મોનિટર કરવાની રહેશે અને સાથે જ પોતાના સામાનને કોઈ અન્ય વ્યક્તિની સાથે શેર ન કરવી.