ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓ (નાયબ મામલતદાર) સસ્પેન્ડ: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
મહેસૂલ વિભાગના 3 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ
ફરજ બેદરકારી અને કામમાં વિલંબને કારણે કાર્યવાહી
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લીધો નિર્ણય
મહેસૂલ વિભાગે 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાની માહિતી ખુદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
કોની પર તવાઈ?
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે રાજય સરકાર સહેજ પણ ક્ષતિ કે ફરજ પરની બેદરકારી ચલાવી લેવા માંગતી નથી. ત્યારે આજે મહેસૂલ વિભાગના ડાંગ ખાતેના નાયબ કલેક્ટરશ્રી ટી.કે.વસાવા અને સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર શ્રી એમ.એમ.વસાવા અને શ્રી ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કરી શું કહ્યું
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શી રીતે કામગીરી કરી રહી છે ત્યારે ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે