ગાંધીનગરઃ ગુજરાતમાં ઓછા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણીની તંગી સર્જાઈ છે. આ ઉપરાંત પુશઓને ઘાસચારો પણ પુરતા પ્રમાણમાં મળતો ન હોવાની રજૂઆતો આવી હતી. તેને ધ્યાને લઈને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કૌશિક પટેલે મહત્વની જાહેરાત કરી છે.
તેમને કહ્યું છે કે સમગ્ર ગુજરાતમા ઓછો વરસાદ પડ્યો છે. તેને લઈને અછતગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા આગોતરા આયોજન કર્યા છે. કચ્છમાં 2.33 કરોડનું ઘાસ મોકલાયું છે. આ ઉપરાંત અછતગ્રસ્ત તાલુકાઓમાં 150 દિવસની રોજગારી આપવાની પણ જાહેરાત કરી છે. અછત મામલે અનેક તાલુકાઓમાંથી રજૂઆત આવ્યા બાદ નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છેઃ કૌશિક પટેલ
રાજ્યમાં ઓછા વરસાદને લઈને પાણીની તંગી અત્યારથી જ વર્તાઈ રહી છે. ત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે અછત મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ઓછા વરસાદના કારણે જે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે. ત્યારે ઘાસ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અછતગ્રસ્ત વિસ્તારોમાં આગામી ડિસેમ્બર માસથી અછતની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ તમામ તલાટી મંત્રીઓને પણ અછતના કામ પર લાગી જવા માટે કહેવામાં આવ્યું છે.