પાટનગર ગાંધીનગર આજકાલ આંદોલનકારીઓ માટે રણક્ષેત્ર બનતું જાય છે. બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાના પરિણામ રદ કરવાની માગણી સાથે શરૂ થયેલું આંદોલન હજુ શમ્યુ નથી ત્યાં પાટનગરમાં આજે મહેસૂલી કર્મીઓએ ધરણા આપ્યા છે.
શમ્યુ નથી વિદ્યાર્થી આંદોલન
ત્યાં હવે કર્મચારીઓના ધરણા
મહેસૂલીકર્મીઓની માગણી યથાવત
ગાંધીનગરની ધરતી પર આંદોલનના વિવિધ રંગોને અભિવ્યક્ત કરી રહ્યા છે. બિન સચિવાલય પરીક્ષા જ રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓ માર્ગ પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓની આક્રોશભરી અભિવ્યક્તિ અને પોલીસની દોડધામભરી કવાયતનું સાક્ષી આખું ગુજરાત બની ગયું. જો કે સરકારે પરીક્ષા રદ્દ કરવાની માગણી ન જ સ્વીકારી એ દેખાવો હવે શાંત થઈ ગયા છે.
મહેસૂલી કર્મચારીઓની હડતાલ
ત્યારે હવે રાજ્યના 10 હજારથી વધારે મહેસૂલી કર્મચારીઓએ પોતાની માગણીઓને લઈને પાટનગરમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું. સત્યાગ્રહ છાવણી ખાતે તમામ જિલ્લામાંથી આવેલા મહેસૂલી કર્મચારીઓ રેલી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અલબત્ત તેમના વિરોધ પ્રદર્શનમાં શિસ્ત અને શાંતિ જળવાઈ રહ્યા હતા.
10 હજાર કર્મચારીઓની રેલી અને ધરણા
રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આજે અચોક્કસ મુદતની હડતાળના ચોથા દિવસે પણ 10 હજાર કર્મચારીઓની રેલી અને ધરણાં યથાવત્ રહ્યા હતા. અગાઉ પડેલી હડતાળમાં ખાતરી બાદ પણ કામગીરી ન થતા મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર બેઠા છે. ગુજરાતના 33 જિલ્લાના 8 હજાર જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર હોવાથી સરકારી ઓફિસમાં કામ ઠપ્પ થઈ ગયું છે. આજે રાજ્યની જિલ્લા અને તાલુકા કચેરીઓ સૂમસામ જેવા મળી હતી.
આગેવાને કરી આવી વાત
જો કે, રેવન્યુ તલાટી કર્મચારી સંઘના આગેવાનનું કહેવું છે કે, કર્મચારીઓની માગણી ગેરવાજબી છે. આથી આ માંગણી સંતોષાશે કે કેમ કેના વિશે શંકા છે. કેમ કે માગણીના સંદર્ભમાં મહેસૂલી કર્મીઓના આગેવાનો વચ્ચે જ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.
મહેસૂલી કર્મચારીઓની આ હડતાળને પગલે આવકના દાખલા, ઇ-ધરા નોંધ, એન.એ., નવીશરત- જુનીશરતમાં જમીન તબદીલ કરવા ઉપરાંત વહિવટી કામગીરી પર અસર પડી હતી. ત્યારે અન્ય આંદોલનની જેમ આ આંદોલન પણ પરિણામ વગર જ શાંત પડી જશે કે, કર્મચારીઓની માગણી સંતોષાશે તે જોવાનું રહ્યું.