મહેસૂલ વિભાગે 8,200 કરોડની કરચોરીનો ઘટસ્ફોટ કર્યો છે. ઘણાં વ્યક્તિઓ અને સંસ્થાઓ પર BSE પ્લેટફોર્મમાં મોટા પાયે કરચોરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ કૌભાંડ પાછળ શેરબ્રોકરો અને એન્ટ્રી ઓપરેટરોના એક ચોક્કસ જૂથને મોટું કારણ ગણાવવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે દેશના મોટા શહેરોમાં 22 બ્રોકરેજ હાઉસ શોધી કાઢ્યા છે. પશ્ચિમ બંગાળમાં તેમની સંખ્યા સૌથી વધુ હોવાનું કહેવાય છે.
આવકવેરા વિભાગે ગત મહિને SEBIને પ્રારંભિક અહેવાલ મોકલ્યો હતો જેમાં આશરે 20,000 જેટલા એવા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી જેમના આધારે આ કૌભાંડ પકડાયું છે. જુલાઈ 2019માં આવકવેરા વિભાગે ઓપરેશન ફાલ્કન દ્વારા આ બધા લાભાર્થીઓની શોધ કરી હતી.
BSEએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
આ આધારે દેશના અન્ય શહેરોની 22 બ્રોકરેજ ઓફિસીસ બહાર આવી હતી. આમાં મુંબઇ, કોલકાતા, કાનપુર, હૈદરાબાદ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BSEને આવા કોઈ અહેવાલ અને કોઈ માહિતીની જાણકારી નથી. BSEએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
બ્રોકર્સે કબૂલ્યો ગુનો
આવકવેરા વિભાગની પૂછપરછ દરમિયાન ઘણા દલાલોએ F&O સેગ્મેન્ટમાં ટેક્સ ચોરીની કબૂલાત કરી છે અને કહ્યું છે કે તેમાં 2 થી 3 ટકા હિસ્સો છે.
SEBI પણ તપાસમાં શામેલ
આવકવેરા વિભાગ કૌભાંડની તપાસને વધુ અસરકારક બનાવવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (SEBI) સાથે મળીને કામ કરી રહ્યું છે.