રાજ્યના 115 સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા 178 સરકારી વકીલોની બદલી
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યો આદેશ
178 સરકારી વકીલોની સાગમટે બદલી
એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા વકીલોનું ટ્રાન્સફર
કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે કાયદા વિભાગ ધ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના ૧૧૫ સરકારી વકીલોના હુકમો કરી દેવામાં આવ્યા છે.
પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે
જે સરકારી વકીલોની ર૦૧૯ની છેલ્લી બેચમાં નિમણૂંક થઇ હતી, તેમણે વર્ગ-ર ના અધિકારી તરીકે સરકારી સેવામાં બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જે પ્રોબેશન પૂર્ણ થયાના આ હુકમો થયા બાદ હવે પછી જે સરકારી વકીલોએ તેમની હિન્દી/સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાસ ની બાકી છે, તે પાસ કર્યેથી ખુબ જ ઝડપથી તેઓના પણ પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.
જાહેર હિતમાં 178 સરકારી વકીલોની બદલી
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસંવાદમાં કરેલ જાહેરાત મુજબ, રાજય સરકારની સ્થાયી સૂચના અન્વયે જે સરકારી વકીલો એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવે છે, તેવા કુલ-178 સરકારી વકીલોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.નવા શૈક્ષિણક સત્રથી આ સરકારી વકીલોની અન્યત્ર બદલી કરવામાં આવતા તેઓના બાળકોના અભ્યાસને કોઇ અસર ન પહોંચે તેની પણ કાળજી રાખી મંત્રીએ સંવેદના વ્યકત કરેલ છે.