આજે રાજકોટમાં બે ઝોનના લેઉવા પાટીદારોનું સ્નેહમિલન, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રહેશે હાજર
ખોડલધામ સમિતિનું સ્નેહમિલન
આજે રાજકોટ ખાતે યોજાશે સ્નેહમિલન
નરેશ પટેલ સ્નેહમિલનમાં રહેશે હાજર
આજે ખોડલધામ સમિતિનું સ્નેહમિલન યોજાનાર છએ જેમાં બે ઝોનના લેઉવા પાટીદારો હાજર રહેશે. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે ખોડલધામ પાટોત્સવ પહેલા પાટીદાર સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં મોટા અગ્રણીઓ અને પાટીદારના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
આજે ખોડલધામ સમિતિનું સ્નેહમિલન
બે ઝોનના લેઉવા પાટીદારોના આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વનો છે, આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે, ઉલ્લેખનિય છે કે ખોડલધામ સમિતિના 2022ના પાંચ મો પાટોત્સવ ઉજવવા બાબતે અગાઉ ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ લેઉવા પટેલ સમાજ માટે ગૌરવનું ધામ બન્યું છે અને માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં વિશાળ ખોડલાધ સાકાર થયું છે તેમાં આપ સૌનો ફાળો છે અને આપ સૌના સહકારથી ખોડલધામ વિશ્વસનીય બન્યું છે.
નરેશ પટેલ સ્નેહમિલનમાં રહેશે હાજર
આગામી પાટોત્સવને લઈને ધોરાજી ખાતેની મુલાકાતમાં નરેશ પટેલ કહ્યું હતું કે લેઉવા પટેલ સમાજ તમામ ધંધામાં પ્રગતિ કરી શકે ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધી લેઉવા પટેલ સમાજના યુવાનો હોવા જોઈએ જે બાબતે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આગળ આવવા પર ખાસ ભાર મુક્યો હતો.