ધરતીના સ્વર્ગ કહેવાતા સુંદર કાશ્મીર માટે આઇઆરસીટીસી શાનદાર ટુર પેકેજ લાવ્યુ છે. આ 8 દિવસના ટુર પેકેજમાં શ્રીનગરની સુંદર વાદીઓ સાથે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા પણ મળશે. ખાસ વાત એ છે કે આ પેકેજના ભાવ પણ રિઝનેબલ છે.
ટુર પેકેજમાં શ્રીનગરની સુંદર વાદીઓ સાથે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા પણ મળશે
આ પેકેજમાં યાત્રીઓને થ્રી સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે.
ધરતીના સ્વર્ગ કહેવાતા સુંદર કાશ્મીર માટે આઇઆરસીટીસી શાનદાર ટુર પેકેજ લાવ્યુ છે
આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ મે, 2019થી શરુ થયેલુ આ પેકેજ એપ્રિલ 2020 સુધી ચાલુ રહેશે. આ ડ્યુરેશનમાં ક્યારેય પણ બુકિંગ કરી શકાય છે. સિંગલ પર્સન માટે આ પેકેજની કોસ્ટ 16,715 રુપિયા હશે. બે લોકો માટે 17,535 રુપિયા ખર્ચવા પડશે. જો સાથે બાલક હોય અને તેના માટે અલગથી બેડની વ્યવસ્થા કરવી હોય તો 6190 રુપિયા ચાર્જ થશે.આ ટ્રિપ કુલ આઠ દિવસની હશે.
પહેલા દિવસે શ્રીનગર એરપોર્ટથી પિકઅપની વ્યવસ્થા અપાશે
તેમા પહેલા દિવસે શ્રીનગર એરપોર્ટથી પિકઅપની વ્યવસ્થા અપાશે. ત્યાંથી પહેલેથી બુક કરાયેલી હોટલમાં ઉતારો અપાશે. પહેલા અને બીજા દિવસે આખો દિવસ અહીં ફરવાનુ રહેશે. ત્રીજા દિવસે અહીંથી ગુલમર્ગ લઇ જવાશે. અહીં જો યાત્રીઓ ઇચ્છે તો પોતાના ખર્ચે ટ્રેકિંગની મજા લઇ શકે છે. ચોથા દિવસે સોનમર્ગ અને પાંચમા દિવસે પહેલગામ લઇ જવાશે. છઠ્ઠા દિવસે યાત્રિઓને રોડ માર્ગે કટરા લઇ જવાશે. સાતમા દિવસે વૈષ્ણોદેવી મંદિરે દર્શન માટે જવાનુ રહેશે અને આઠમા દિવસે સવારે નાસ્તા બાદ જમ્મુ કાશ્મીર એરપોર્ટ ડ્રોપ કરી દેવાશે.
આ પેકેજમાં યાત્રીઓને થ્રી સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે
આ પેકેજમાં યાત્રીઓને થ્રી સ્ટાર હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે. અહીં બ્રેકફાસ્ટ અને ડિનરની વ્યવસ્થા પણ હશે. ટુરિસ્ટ સ્પોટ અંગે જાણકારી માટે ટુર ગાઇડ પણ સતત તમારી સાથે હશે. સાથે તમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ કરાવાશે. આઇઆરસીટીસીએ વિશેષ આદેશ આપ્યા છે કે જો કોઇ વ્યક્તિ આ ટુર લેવા ઇચ્છતુ હોય તો તેણે પહેલા પોસ્ટ પેઇડ સિમ કેરી કરવુ આવશ્યક હશે.