કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની વયમર્યાદાની ઉંમર 60 થી 58 વર્ષ કરવામાં આવશે નહીં. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહ્યું કે, કેન્દ્રીય સિવિલ સેવા(પેન્શન) નિયમ અને 1972 ના અધિનિયમન 56 (જે) સરકારને સમય-સમય પર કર્મચારીઓના કામની સમીક્ષાનો અધિકાર આપે છે.
કેન્દ્ર સરકારનો લોકસભામાં ખુલાસો
સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60થી 58 વર્ષ કરવામાં નહીં આવે
ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે સરકારે અપનાવ્યું કડક વલણ
જેના હેઠળ જો કોઇ કર્મચારી અક્ષમ હોવાનું સાબિત થશે અથવા તો તેનું આચરણ ભ્રષ્ટ હશે, તો તેને નિયત સમયગાળા પહેલા જ સેવામાંથી નિવૃત્ત કરી દેવામાં આવશે. આવું કરવા માટે ત્રણ મહિના નોટિસ આપવામાં આવે છે અથવા તેના અવેજમાં એટલા મહિનાનો સેલેરી અથવા ભથ્થુ આપવામાં આવશે
ગ્રુપ-એ અને ગ્રુપ-બી હેઠળ કર્મચારીઓને લાગુ પડશે
કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું, 'આ જોગવાઈઓ ગ્રુપ-એ અને બી ના સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. આ સાથે જ અર્ધ-સરકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને પણ આવરી લેવામાં આવશે, જેઓ 35 વર્ષની ઉંમર પૂર્ણ કરીને પહેલા સેવામાં આવ્યા છે અને તેમની ઉંમર 50 વર્ષથી વધારે થઇ છે.
Jitendra Singh, MoS Ministry of Personnel, Public Grievances and Pensions, in written reply to a question in Lok Sabha: Presently, there is no proposal to reduce age of retirement on superannuation from 60 years to 58 years. (file pic) pic.twitter.com/6uMHrDcUS1
કેન્દ્ર સરકારે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર મામલે કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે નાણા મંત્રાલયના સૂત્રોએ પણ જણાવ્યું હતું કે, સરકારે 21 ભ્રષ્ટ ટેક્સ અધિકારીઓને વયમર્યાદા પહેલા જ નિવૃત્ત કરી દીધા છે.
અનેક અધિકારીઓને પદ પરથી હટાવાયા
આ અધિકારી પર ખોટી રીતે પૈસા અને સંપત્તિ કમાવવાનો આરોપ છે. જે કે, કેટલાક અધિકારીઓ એવા પણ છે જેમની સામે CBI તપાસ ચલાવી રહી હોય. અધિકારીઓને હટાવવાની કામગીરી ગત જૂન માસથી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી 85 ટેક્સ અધિકારીઓએ બળજબરી રિટાર્યડ કરાયા છે, જેમાં 64 વરિષ્ઠ અધિકારી સામેલ છે.