ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી અનૂપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનૂપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક
ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના નિવૃત્ત IAS
ઓગસ્ટ 2019 માં UPના મુખ્ય સચિવ તરીકે થયાં છે નિવૃત્ત
ઉલ્લેખનીય છે કે, અનૂપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થયા બાદ હવે ચૂંટણી પંચ પાસે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણ લોકો છે. અનૂપચંદ્ર પાંડે ઓગસ્ટ 2019 માં યુપીના મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.
UP cadre IAS officer (retired) Anup Chandra Pandey appointed as Election Commissioner pic.twitter.com/UmpfKM6XB0
નિવૃત્ત આઈએએસ અનૂપચંદ્ર પાંડે, જે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ હતા, તેઓ યુપીમાં 37 વર્ષ જુદા જુદા હોદ્દા પર રહ્યા. 29 ઓગસ્ટ 2019 ના રોજ, તેઓ યુપીના મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા. તેમણે ઉત્તર પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ વિભાગમાં કમિશનર તરીકે કામગીરી બજાવી છે. આ સાથે, તે ઘણા બધા વિભાગના કમિશનર અને ઘણા જિલ્લાઓના કલેક્ટર પદે પણ રહી ચૂક્યા છે.
કોણ છે અનુપચંદ્ર પાંડે?
અનૂપચંદ્ર પાંડે જન્મ 15 ફેબ્રુઆરી 1959 ના રોજ પંજાબના ચંડીગઢમાં થયો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી તેમણે હાંસલ કરી છે. આ ઉપરાંત મટિરીયલ મેનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી પણ લેવામાં આવે છે.
31 ઓગસ્ટ 2019 ના રોજ નિવૃત્તિ લેતા પહેલા પાંડેએ ઉત્તર પ્રદેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ વિભાગમાં કમિશનર તરીકે સેવા આપી છે.