એક તરફ ગુજરાતના યુવાનો નોકરી માટે તલપાપડ છે. 1 જગ્યા માટેની ભરતીમાં 200થી 300 યુવાનો મેદાનમાં ઉતરી રહ્યા છે.બીજી તરફ રાજ્યની એવી પણ સરકારી કચેરીઓ છે જ્યાં નિવૃત બાબુઓનો અડીંગો
જામનગર મહાપાલિકામાં કોન્ટ્રેક્ટ કર્મચારીઓ
નિવૃત કર્મચારીઓથી ચલાવાઈ રહ્યું છે કામ
શિક્ષિત બેકારને સ્થાનને બદલે હંગામી કર્મીઓ
એક તરફ ગુજરાતના યુવાનો નોકરી માટે તલપાપડ એક કરી રહ્યા છે. 1 જગ્યા માટેની ભરતીમાં 200થી 300 યુવાનો મેદાનમાં ઉતરી રહ્યા છે. જ્યારે બીજી તરફ રાજ્યની એવી પણ સરકારી કચેરીઓ છે જ્યાં નિવૃત બાબુઓ હજુ પણ પોતાનો અડિંગો જમાવીને બેઠા છે. આવું જ કાંઈક જામનગરમાં પણ સામે આવ્યું છે. જ્યાં યુવાનોને જે જગ્યા મળવી જોઈએ તે જગ્યાએ એક્સટેન્શન મેળવીને નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓએ કબજો કર્યો છે. ત્યારે કેવી છે યુવાનોની આંખો ઊઘાડતુ આ કડવું સત્ય આવો જોઈએ.
વય મર્યાદા પૂર્ણ કર્યા પછી એક્સ્ટેન્શન
ગુજરાતના યુવાનોના સ્થાન એવા એવા લોકો બેઠા છે જેમણે હવે ઘરે બેસવું જોઈએ. પેન્શનના પૈસા મેળવી આરામ કરવો જોઈએ. પરંતુ આવા લોકો એક્સટેન્શન મેળવી તમારી જગ્યા ખાઈ ગયા છે.અને નોકરી માટે તરસવું પડી રહ્યું છે.આવું જ જામનગર મહાનગરપાલિકામાં સામે આવ્યું છે. જ્યાં વર્ગ-2 થી લઈને વર્ગ-4 સુધીના 63 નિવૃત કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ તમામ કર્મચારીઓની વયમર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એક તરફ શિક્ષીત યુવા બેરોજગાર બેઠો છે. નોકરી માટે પડાપડી કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ આવા નિવૃત લોકો આજે પણ જગ્યા પચાવીને બેઠા છે.
શિક્ષિત બેકાર ભટકે અને હંગામીથી કામ
ગાંધીનગર સચિવાલયમાં વર્ગ-1 અને 2ના 52 અધિકારીને એક્સટેન્શન સાથે કરે છે કામ કરી રહ્યા છે તો જામનગર મહાનગરપાલિકામાં વર્ગ-2 થી વર્ગ-4 સુધીના કર્મીઓ એક્સટેન્શન સાથે કામ કરી રહ્યા છે આ આંકડા માત્ર બે સ્થળના છે. તો વિચાર કરી જુઓ કે, રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં આવા કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ હશે જેઓ નિવૃત્તિબાદ પણ એક્સટેન્શન સાથે કામ કરી રહ્યા હશે..ચોક્કસ આંકડો તો નથી. પરંતુ અંદાજ પ્રમાણે એવું કહી શકાય કે, હજારો લોકો આ રીતે એક્સટેન્શન મેળવી યુવાનોની જગ્યાઓ પચાવીને બેઠા છે.
પૂર્ણકાલીન કર્મચારીઓ કેમ નહિ ?
લાંબા સમયગાળા બાદ ભરતી પરીક્ષાઓ આવતી હોય છે ત્યારે, પૂર્ણકાલીન કર્મચારીઓ નહિ લઈને શા માટે વારંવાર સરકારી કર્મીઓને એક્સટેન્શન આપવામાં આવે છે? ગુજરાતની કચેરીઓમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે એક્સટેન્શન સાથે કામ કરે છે? નિવૃત અધિકારીઓની જગ્યાએ યુવાનોને કેમ નોકરી ન આપી? આ સવાલો ખુબ મોટા છે.. ત્યારે આશા રાખીએ કે, સરકાર આ મુદ્દાને પણ ગંભીરતાથી લે. અને શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીની તક આપે