વર્ષ 2020 જેટલું ખરાબ હોઈ શકે તેટલું થઈ રહ્યું છે. કોરોનાની મહામારી બાદ ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે શ્રેય હોસ્પિટલની દુર્ઘટના અને શુક્રવારે દુબઈથી કેરળ આવી રહેલી ફ્લાઈટ લેન્ડિંગ સમયે ક્રેશ થઈ. જ્યારે ફ્લાઈટનું ક્રેશ લેન્ડિંગ થયું ત્યારે ફ્લાઈટમાં 189 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ હતા. અત્યાર સુધી 18 લોકોના મોતના સમાચાર મળ્યા છે. ફ્લાઈટના પાયલટ કેપ્ટન દીપક સાઠેનું પણ મોત નીપજ્યું છે. તેમના પરિવાર અને સાથી મિત્રોને વિશ્વાસ આવી રહ્યો નથી કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. કેપ્ટન દીપક સાઠે ઈન્ડિયન એરફોર્સ (IAF)થી રિટાયર્ડ થયા હતા અને તેમની ગણતરી કાબેલ પાયલટ્સમાં થતી હતી. તેઓ ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત થઈ ચૂક્યા હતા.
કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું ક્રેશ લેન્ડિંગ
પાયલટ દીપક સાઠે સહિત અનેક લોકોના મોત
કોઝિકોડ એરપોર્ટ ટેબલટૉપ હોવાના કારણે અને વરસાદને કારણે બની દુર્ઘટના
‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત
એર ઇન્ડિયા માટે કામ કરનારા દીપક સોઠી એરફોર્સ એકેડેમીના હોનહાર કેડેટ તરીકે જાણીતા હતા. દીપક સાઠેને પોતાની કાબિલિયતના દમ પર એરફોર્સ એકેડેમીનું પ્રતિષ્ઠિત ‘સ્વૉર્ડ ઑફ ઑનર’ સન્માન મળ્યું હતુ. એરફોર્સની નોકરી બાદ દીપકે એર ઇન્ડિયા કૉમર્શિયલ સર્વિસ જોઇન કરી લીધી હતી. દીપક દેશના એ ગણ્યા-ગાંઠ્યા પાયલટમાંથી હતા, જેમણે એર ઇન્ડિયાના એરબસ 310 વિમાન અને બોઇંગ 737ને ઉડાવ્યું હતુ.
એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવ્યા
એર ઇન્ડિયાના ઑફિસરો પ્રમાણે દીપક એર ઇન્ડિયાના શાનદાર પાયલટ્સમાંથી એક હતા. કોઝિકોડના અકસ્માત બાદ દરેક જણ તેમને યાદ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે એર ઇન્ડિયાએ એક અત્યંત કાબિલ અધિકારી ગુમાવી દીધા છે. આ સમયે તેમને પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
NDAના 58મા કોર્સથી થયા હતા પાસઆઉટ
વિંગ કમાન્ડર કેપ્ટન દીપક સાઠે એર ઈન્ડિયાને માટે એયરબસ 310 પણ ઉડાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓએ એયર ઈન્ડિયાની એક્સપ્રેસની જવાબદારી મેળવી. નેશનલ ડિફેન્સ એકેડમીના 58મા કોર્સથી પાસઆઉટ થયા અને જુલિયટ સ્ક્વાડ્રનનો ભાગ બન્યા, એનડીએમાં પાસઆઉટ થતાં સમયે તેમને એનડીએ પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા છે. વિંગ કમાન્ડર સાઠે એનડીએ બાદ હૈદરાબાદના ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડમી પહોંચ્યા અને અહીં તેમને 127 પીસી કોર્સના ‘સ્વૉર્ડ ઑફ ઑનર’થી સન્માનિત કરાયા હતા. તેમના નિધનથી પરિવાર અને મિત્રો દુઃખી છે.
મિગ 21 જેવા જેટ્સનો હતો અનુભવ
સૂત્રોની મદદથી મળતી માહીતી અનુસાર કેપ્ટન સાઠે મિગ 21 જેવા ફાઈટર જેટ્સ પણ ઉડાવી ચૂક્યા હતા. તેમનું પોસ્ટિંગ હરિયાણાના અંબાલામાં 17મી સ્ક્વોડ્રન એટલે કે ગોલ્ડન એરોની સાથે થયું જેનો ભાગ તેઓ 29 જુલાઈએ રાફેજ જેટ બન્યા. આ સ્ક્વોડ્રને 1999માં કારગિલની લડાઈમાં દુશ્મનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કેપ્ટન સાઠેએ એરફોર્સ એકેડમીમાં ઈન્સ્ટ્રક્ટર તરીકેની ફરજ પણ અદા કરી હતી. પરિવારમાં તેમની પત્ની સિવાય 2 દીકરા છે. સાઠે એક ફાઈટર પાયલટ હતા તેમની પાસે અનેક કલાકોના ફ્લાઈંગનો અનુભવ હતો.
IAF કરે છે આ એરપોર્ટનો પ્રયોગ
એર ઈન્ડિયાને જોઈન કરતી સમયે પહેલા તેઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે ટેસ્ટ પાયલટ તરીકે જોડાયા હતા. કેપ્ટન દીપક સાઠે સિવાય ક્રેશમાં 32 વર્ષના કો પાયલટ અખિલેશ કુમારનું પણ મોત થયું છે. કેપ્ટન અખિલેશના હાલમાં જ લગ્ન થયા હતા. એવિએશન એક્સપર્ટ્સના અનુસાર કેરળનો કાલીકટ રન વે ટેબલટૉપ હોવાના કારણે ખતરનાક છે અને વરસાદમાં અહીં મુશ્કેલી વધારે રહે છે. જે એરપોર્ટ પર દુર્ઘટના સર્જાઈ ત્યાં ખાસ કરીને આઈએએફના હેલિકોપ્ટર અને અન્ય એરક્રાફ્ટનું લેન્ડિંગ કરાય છે.