મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખરે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર તપાસના આદેશ આપી દીધા છે.
અનિલ દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ હવે હાઇકોર્ટના નિવૃત્ત જજ કરશે
સીએમ ઠાકરેએ આદેશ આપ્યા : દેશમુખ
પરમબીર સિંહ લગાવ્યો હતો ભ્રષ્ટાચાર આરોપ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચાર અને ખંડણીના ગંભીર આરોપો લાગ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઠાકરે હવે એક્શનમાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રીએ જાણકારી આપી છે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર મુખ્યમંત્રી ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેએ આદેશ આપી દીધા છે.
અનિલ દેશમુખે કહ્યું કે જે આરોપો મારા પર લગાવવામાં આવ્યા છે મેં સામેથી તેના પર તપાસની માંગ કરી હતી અને મુખ્યમંત્રીએ આ આરોપો સામે હાઇકોર્ટના રિટાયર્ડ જજ દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. જે પણ સત્ય છે તે સામે આવી જશે.
શું છે આખો મામલો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળી આવ્યા બાદથી આ સમગ્ર મામલાના તાર સચિન વાઝે સાથે જોડાયા જે મુંબઈનો પોલીસ કર્મી છે અને તે બાદ તેમાં શહેરના કમિશનરનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. ટ્રાન્સફર બાદ પરમબીર સિંહે રાજ્યના મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખ્યો કે રાજ્યના ગૃહમંત્રી દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી પોલીસ પાસે કરાવતા હતા. જે બાદ રાજ્યના રાજકીય ભૂકંપ આવી ગયો હતો. વિપક્ષ દ્વારા સતત સવાલ કરવામાં આવી રહ્યો હતો ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપી દીધા છે.
મહારાષ્ટ્ર સરકારની ત્રણેય પાર્ટીઓ વચ્ચે અંતર વધ્યું
સરકારમાં ત્રણ પાર્ટીઓ ભાગીદાર બનીને સરકાર ચલાવી રહ્યા છે ત્યારે શિવસેનાએ આજે લેખ લખીને મહારાષ્ટ્રના ગૃહમંત્રી સામે સવાલો ઊભા કર્યા હતા. જે બાદ કોંગ્રેસ કહી રહી છે કે તમને એક્શન લેતા કોણે રોકી રાખ્યા છે? મહાવિકાસ આઘાડીના નામે ચાલી રહી સરકારની ત્રણેય પાર્ટી અંદરોઅંદર સામસામે આવી ગઈ હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે.
ગૃહમંત્રીને ઓછું બોલવાની સલાહ
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ભ્રષ્ટાચારના આરોપો બાદ ઠાકરે સરકાર દબાણમાં આવી ગઈ છે ત્યારે સરકારમાં સત્તા સંભાળી રહેલી શિવસેના પોતાની જ સરકારના ગૃહમંત્રીને સવાલ કરી રહી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર નિશાન સાધ્યું છે અને સાથે જ પાર્ટીએ તેમને ઓછું બોલવાની સલાહ પણ આપી છે. નોંધનીય છે કે અનિલ દેશમુખ એનસીપીના નેતા છે અને મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારમાં તેઓ ઠાકરે બાદ બીજા નંબરના સૌથી મહત્વપૂર્ણ પદ પર છે.
ગૃહમંત્રીને દુર્ઘટનાથી મળ્યું છે આ પદ : શિવસેના
સામનામાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે દેશમુખને ગૃહમંત્રી પદ દુર્ઘટનાવશ મળી ગયું છે. જયંત પાટિલ, દિલીપ વલસેએ ગૃહમંત્રી સ્વીકારવાની ના પાડી દીધી હતી જે બાદ દેશમુખને આ પદ આપવામાં આવ્યું હતું. સામનામાં સવાલ કરવામાં આવ્યો છે કે સચિન વાઝે મુંબઈ પોલીસમાં બેસીને વસૂલી કરી રહ્યો હતો અને ગૃહમંત્રીને જાણ ન હતી?