ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા નિવૃત સૈનિકનું મોત થતા પૂર્વ સૈનિકોમાં રસ્તા પર ઉતર્યા, ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો
આંદોલનમાં ગરમાયો મામલો
પૂર્વ આર્મીમેનનું મૃત્યુ
આંદોલન સમયે લથડી હતી તબીયત
પૂર્વ સૈનિકોમાં જોવા મળ્યો આક્રોશ
ગાંધીનગરમાં ચાલી રહેલા નિવૃત્ત આર્મીમેનના આંદોલન દરમિયાન મામલો ગરમાયો છે. આંદોલન દરમિયાન સાબરકાંઠાના પૂર્વ સૈનિક કાનજી મોથલિયાની તબીયત લથડી હતી. જેમ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.
નિવૃત્ત આર્મિ જવાનનું વિરોધ દરમિયાન મોત
આર્મીના પૂર્વ જવાનના મૃત્યુ બાદ ગાંધીનગરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.. આર્મીના જવાનોએ ચીલોડાથી ગાંધીનગર સુધી માર્ચ કાઢી છેઃ.. તો બીજી તરફ ગાંધીનગર સચિવાલયમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.નિવૃત્ત આર્મિ જવાનની તબીયત લથડતા તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલે મોકલાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતક કાનજીભાઈ મોથલીયા સાબરકાંઠા વિજયનગરના રહેવાસી છે.
પૂર્વ સૈનિકોમાં પણ સરકાર વિરુદ્ધ આક્રોશ
પૂર્વ સૈનિકો પોતાની વિવિધ માગણીઓ સાથે ગાંધીનગરમાં સચિવાલય બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. પૂર્વ સૈનિકોની પેન્ડિંગ માગ જેમાં અનામત, ખેતી માટે જમીન, પ્લોટ, પગાર રક્ષણ, હથિયાર નવા લેવા, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદી, ફિક્સ પ્રથા જેવા અનેક મુદ્દાઓ પર આ આંદોલન ચાલી રહ્યું હતું. આ મુદ્દે સવારથી જ અનેક પૂર્વ સૈનિકો ગાંધીનગરમાં એકઠા થયા હતા. આ દરમિયાન પૂર્વ સૈનિક કાનજી મોથલિયાની તબીયત લથડતાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.. અને હવે આ મુદ્દે પૂર્વ સૈનિકોમાં પણ સરકાર વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યોછે.
ગૃહ વિભાગે આપ્યા તપાસના આદેશ
સમગ્ર મામલે વિરોધ ભભૂકી ઉઠતાં ગૃહ વિભાગ તાબડતોબ એક્શનમાં આવી ગયું છે. નિવૃત આર્મીમેનના મૃત્યુનો મામલે 2 દિવસમાં અહેવાલ રજૂ કરવા DGPને આદેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતાઑ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા
ગાંધીનગરમાં નિવૃત આર્મીમેનનો મોત થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ મૃતક સૈનિકના પરિવારને સાંત્વના પાઠવી છે. મૃતક કાનજી મોથલિયાના દીકરા ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવે છે. મૃતક કાનજી મોથલિયાના દીકરાએ માંગ કરી છે કે માર મારનાર પોલીસ સામે કડક પગલાં લેવાય.
પોલીસે આતંકવાદી જેવો વ્યવહાર કર્યો: માજી સૈનિકો
ત્યાં હાજર માજી સૈનિકોનું કહેવું છે કે પોલીસના મારથી તેઓનું મોત નીપજ્યું છે.પોલીસે મૂંઢ મારી પૂર્વ જવાનને ઘાયલ કર્યા હતા. નિવૃત્ત આર્મીમેન સાથે આંતકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
14 મુદ્દાની લડત આપણો અધિકાર
ફોજની નોકરી દરમિયાન મુત્યુ પામેલાના પરિવારને સાંત્વના રાશિ એક કરોડ મળે
સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી મળે
ગુજરાતના દરેક જીલ્લામાં સૈનિક સ્મારક બને
માજી સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન થાય
જે માજી સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન મળે અથવા શહેરમાં માજી સૈનિકને રહેઠાણ માટે પ્લોટ મળે
માજી સૈનિકના સંતાનનેધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ મળે
દારૂ માટે મળતી ભારતીય ફોજ દ્વારા પરમિશન માન્ય ગણવી
માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા
હથિયારનું લાયસન્સ રિન્યુ કરવા દરેક જીલ્લામાં સુવ્યવસ્થા કરવી
દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા કરવી
માજી સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવી
માજી સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવા
માજી સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે