ભાવનગરના વિજયરાજનગરમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરના નિવૃત DySP નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા,બે દીકરીઓ નંદીનીબા અને યશસ્વીબા સાથે સામૂહિક આપઘાત કર્યો છે.
રિટાયર્ડ DySPના દીકરાની આત્મહત્યા
પત્ની,દીકરા અને દીકરીને ગોળી મારી
પૃથ્વીરાજસિંહે પાલતુ શ્વાનને પણ ગોળી મારી
રિવોલ્વરથી ગોળીમારીને પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજાએ તેમના શ્વાનને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે એક જ પરિવારના 4 સભ્યો કેવી રીતે એકસાથે ફાયરિંગ કરી આત્મહત્યા કરી શકે તે એક મૂંઝવતો પ્રશ્ન પોલીસ વિભાગમાં ચર્ચાઈ રહ્યો છે.
હું આપઘાત કરી રહ્યો છું અને મારું ઘર ખુલ્લું છે
પૃથ્વીરાજસિંહ મા એન્ટરપ્રાઇઝના નામે જમીન દલાલીનું કામ કરતા હતા. બુધવારે સાંજે 5 વાગ્યા આસપાસ મિત્રોને આપઘાત અંગે જાણ કરી હતી. આપઘાત કરતા પહેલા પોતાના કેટલાક મિત્રોને મેસેજ કર્યો હતો. મૃતકે તેમના કેટલાક મિત્ર ને 5.30 એ મેસેજ કર્યો હતો કે હું આપઘાત કરી રહ્યો છું અને મારું ઘર ખુલ્લું છે તેમ પણ જાણવા મળ્યું હતું
મિત્રો પૃથ્વીરાજના ઘરે પહોંચે તે પહેલા ફાયરિંગ કરી નાંખ્યું
મેસેજ મળતા જ મિત્રો પૃથ્વીરાજને બચાવવા દોડી ગયા હતા. પૃથ્વીરાજના ઘરે પહોંચે તે પહેલા ફાયરિંગ કરી નાંખ્યું હતુ. થોડી જ વારમાં પોલીસ પણ પહોંચી હતી પણ કમનસીબે પત્ની બિનાબા,દીકરી નદીનીબા અને યેશસ્વીબાનો મૃતદેહ પડ્યો હતો.
જો કે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, પોલીસ તપાસમાં પૃથ્વીરાજસિંહ જાડેજા મા એન્ટરપ્રાઇઝના નામે કન્ટ્રક્શનનું કામકાજ કરતા હોવાનું ખુલવા પામ્યું છે.