CDS જનરલ બિપિન રાવતની શહાદત પર આખો દેશ ગમગની છે અને તેમના મોતના આઘાતમાં છે ત્યારે CDSના હેલિકોપ્ટર ક્રેશ પાછળ ભારતીય સેનાના પૂર્વ બ્રિગેડિયર સુધીર સાવંતે એક ગંભીર દાવો કરીને બધાને ચોંકાવી મૂક્યા છે.
રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે વિસ્તાર LTTEનો ગઢ
મીડિયા રિપોર્ટ અનુસાર, સાવંત કહ્યું કે જે વિસ્તારમાં સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તે વિસ્તાર LTTEનો ગઢ છે અને આ વિસ્તારના ઘણા લોકો LTTEના સમર્થકો છે. તેમણે કહ્યું કે જે રીતે સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થયું તે રીત LTTEને મળતી આવે છે.
પાક.ગુપ્તચર એજન્સી ISIનો હાથ પણ હોઈ શકે
ભારતીય સેનાના પૂર્વ બ્રિગેડિયર સાવંત કહ્યું કે LTTE ઘણા લાંબા સમયથી ભારતીય સેના અને ભારતની નારાજ છે. ભારતીય સેનાએ LTTEનું નેટવર્ક તોડી પાડ્યું હતું. તેથી LTTEના બાકી બચેલા લોકો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ પણ હોઈ શકે. તેમણે કહ્યું કે બની શકે કે LTTE અને ISIએ ભેગા મળીને હેલિકોપ્ટર તોડી પાડ્યું હોય.
હેલિકોપ્ટર દુર્ઘટના પાછળના 3 કારણ
હેલિકોપ્ટર ક્રેશ કેમ થઈ શકે છે તેના ૩ કારણો બ્રિગેડિયર સાવંત સમજાવે છે કે કોઈ પણ વિમાન અથવા હેલિકોપ્ટર ક્રેશ થવાના ૩ કારણો છે. પ્રથમ- તકનીકી ખામી, બીજું પાઇલટ ભૂલ અને ત્રીજું- બોમ્બ રોપીને ધડાકો. પ્રથમ બે કિસ્સાઓમાં પાઇલટ અને એર કન્ટ્રોલનો સંદેશાવ્યવહાર થાય છે. પાઇલટ મદદની માંગ કરે છે અને આ બધી વાતચીત બ્લેક બોક્સમાં રેકોર્ડ થતી હોય છે. હવે બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. તેથી, જો તે ફક્ત અકસ્માત હશે, તો માહિતી બહાર આવશે.
ત્રીજી આશંકા એ છે કે હેલિકોપ્ટર પર બોમ્બ મારો કરવામાં આવ્યો હોય અને વિસ્ફોટ કરવામાં આવ્યો હોઈ શકે આ કિસ્સામાં, પાઇલટ અને એર કન્ટ્રોલ વચ્ચે કોઈ સંદેશાવ્યવહાર નથી અને બધું અચાનક થાય છે. આ વિસ્તાર એલટીટીઈનો ગઢ રહ્યો હોવાથી આ હુમલા પાછળ એલટીટીઇસ્લીપર સેલનો હાથ હોઈ શકે તેવી પ્રબળ આશંકા છે. 'હેલિકોપ્ટર જે વિસ્તારમાં ક્રેશ થયું હતું તે પણ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. સાથે જ એલટીટીઈનો ગઢ પણ. ઊટી, કોઈમ્બતુર અને મેટુપલનનું આખું જંગલ વીરપ્પનનો વિસ્તાર રહ્યો છે. બ્રિગેડિયર સાવંત કહે છે, "હું કમાન્ડો ઇન્સ્ટ્રક્ટર હતો અને અમારો સામનો એલટીટીઈ સાથે પણ થયો છે, તેથી અમે એલટીટીઇની બધી નાડ પારખીએ છીએ.