યુદ્ધમાં મદદ ન કરનાર દેશો પુતિનને આંખના કણાની જેમ ખૂચ્યાં છે.
યુક્રેન યુદ્ધમાં સાથ ન આપનાર દેશોની સામે કાર્યવાહી કરશે રશિયા
રશિયાના વિદેશ પ્રધાનનું નિવેદન
કહ્યું-બિન મિત્ર દેશો પર મૂકાશે પ્રતિબંધ
યુક્રેન યુદ્ધમાં પોતાને સાથ ન આપનાર દેશોની સામે રશિયા એક મોટો પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે.યુદ્ધમાં પોતાને સાથે ન આપનાર દેશોને રશિયા દુશ્મન જેવું માની રહ્યું છે અને તેમની દેશમાં તેમની એન્ટ્રી અટકાવવા તૈયારી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
શું કાર્યવાહી કરવાની તૈયારીમાં છે રશિયા
રશિયાના વિદેશપ્રધાનના જણાવ્યાનુસાર, રશિયા બિન મિત્ર દેશોના લોકોને દેશમાં આવતા અટકાવવા માટે ટૂંક સમયમાં પ્રતિબંધનની જાહેરાત કરશે. રશિયાના આ પ્રતિબંધ બાદ વિદેશીઓ કોઈ રશિયા નહીં જઈ શકે. જોકે રશિયા મિત્ર દેશો માટે કોઈ પ્રતિબંધ નહીં જાહેર કરે. ભારત રશિયાની ગૂડબૂકમાં છે.
મિત્ર ન હોય તેવા દેશો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં રશિયા
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ પૂરો થાય તેમ લાગતું નથી, આ દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયા બિન-મિત્ર દેશોના નાગરિકો પર રશિયાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વાત કહી હતી. તેમના જણાવ્યા અનુસાર તે યુક્રેન ડીમિલિટરાઈઝ અને ડીનાઝિફાઈન કરવા માગે છે. યુક્રેનમાં સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન વિશે દુનિયાને આ વાત કહી હતી. યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થયાને મહિનાથી વધારે સમય થઈ ચુક્યો છે. રશિયાને જેટલી ઝડપથી યુક્રેનને ઘૂંટણીયે પાડવાની આશા રાખી હતી, તેવું થયું નહીં. જો કે, હજૂ પણ સંઘર્ષ દ્વિપક્ષીય બનેલો છે અને પશ્ચિમી દેશોને દખલ નહીં કરવા દીધી નથી. ત્યારે હવે મોસ્કોના એક અધિકારીએ પોતાના નિવેદનથી સનસની ફેલાવી દીધી છે. મોસ્કો સિટી ડુમા ડેપ્યુટીએ વધું છ દેશોને ડીનાઝિફાઈ કરવાની જરૂર ગણાવી છે. આ છ દેશ છે માલદોવા, કજાકિસ્તાન, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા. રશિયાનું આ વલણ ઘણા બધાં અંશે 20 મી સદીના સામ્રાજ્યવાદી તાકતો જેવું છે.
પુતિન શું ઈચ્છે છે ?
2014માં વ્લાદિમીર પુતિને પોતાના સાથીઓને કહ્યું હતું કે, આપણે ક્રિમીયાને રશિયામાં પાછુ લાવવા માટે કામ કરવું જોઈએ. થોડા દિવસની અંદર જ સ્થાનિક યૌદ્ધાઓએ સાથે મળીને કબ્જો કરી લીધો. પુતિનનું પ્રથમ મિશન સફળ થઈ ચુક્યુ હતું. હવે વારો હતો, યુક્રેનનો. માહલો બનાવતા બનાવતા 24 ફેબ્રુઆરી 2022ના રોજ આખરે પુતિને યુક્રેનમાં સેના મોકલવાનો આદેશ આપી દીધો. પુતિન અહીં અટક્યા નહીં. તેમની નજર હવે નાના નાના પાડોશીઓ પર છે, જે ક્યારેય સોવિયત યુનિયનો ભાગ રહ્યા હતા.યુક્રેનના ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, રશિયાએ 9 મે સુધી યુદ્ધ ખતમ કરી દેવું જોઈએ. યુક્રેની અધિકારીઓનું કહેવુ છે કે, 9 મે એ દિવસ છે, જ્યારે રશિયા દ્વિતિય વિશ્વયુદ્ધમાં નાઝિયો પર જીત મેળવીને વિજય દિવસ મનાવે છે. આ દિવસે રશિયામાં તહેવાર જેવો માહોલ હોય છે.