પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાને કારણે મે મહિનામાં છૂટક મોંઘવારી ઘટીને 7.04 ટકા થઈ છે.
મોંઘવારીના મોરચે રાહતની ખબર
મે મહિનામાં છૂટક મોંઘવારી ઘટીને 7.04 ટકા થઈ
એપ્રિલમાં હતી 7.79 ટકા
એક મહિનાના ગાળામાં આવ્યો 0.75 ટકાનો ઘટાડો
મોંઘવારીના મોરચે મે મહિનો સારો રહ્યો છે. આ મહિનામાં સીપીઆઇ આધારિત ફુગાવાનો દર 7.04 ટકા રહ્યો છે. એપ્રિલ દરમિયાન આ આંકડો 7.79 ટકા હતો. નેશનલ સ્ટૈટિકલ ઓફિસ એટલે કે એનએસઓ (NSO) વતી સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલમાં સીપીઆઈ (ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી 7.79 ટકા હતી જે ગયા વર્ષના મેમાં છૂટક મોંઘવારી 6.3 ટકા હતી.
Retail inflation eases to 7.04 pc in May from 7.79 pc in April: Govt data
ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની ઈફેક્ટ
આ ઘટાડા પાછળનું કારણ તેલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો માનવામાં આવી રહ્યો છે. સીપીઆઇ આધારિત ફુગાવો આરબીઆઇ દ્વારા સતત પાંચમા મહિને નક્કી કરવામાં આવેલી ઉપલી મર્યાદા કરતાં વધુ રહ્યો છે. આરબીઆઈએ 2થી 6 ટકાની કેપ લગાવી છે. જો કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલના વધતા જતા ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે, આગામી દિવસોમાં ફુગાવો વધવાની ધારણા છે.
આ ચીજવસ્તુઓના ઘટ્યાં ભાવ
એપ્રિલમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ, પેટ્રોલ અને ડીઝલ તથા ખાદ્ય તેલ સહિતની બીજી કેટલીક વસ્તુઓના ભાવમાં ઘટાડો આવ્યો છે જે ખૂબ સારો સંકેત છે. સીપીઆઈ આધારિત ફુગાવો એપ્રિલમાં 7.79 ટકા, માર્ચમાં 6.95 ટકા, ફેબ્રુઆરીમાં 6.07 ટકા અને જાન્યુઆરીમાં 6.01 ટકા હતો. ખાદ્યપદાર્થોના વધતા જતા ભાવો પહેલાથી જ રોગચાળા હેઠળ દબાયેલા પરિવારો માટે મોટી ચિંતાનો વિષય બની ગયા છે. સીપીઆઇ બાસ્કેટનો લગભગ અડધોઅડધ હિસ્સો ધરાવતો ખાદ્યાન્ન ફુગાવો મે મહિનામાં વર્ષના આધાર પર 7.97 ટકા વધ્યો હતો. સાથે જ એપ્રિલ મહિના કરતા મે મહિનામાં ખાણી-પીણી થોડી સસ્તી થઇ ગઇ. એપ્રિલમાં ખાદ્યાન્ન મોંઘવારી દર 8.31 ટકા રહ્યો હતો.
શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી વધી
છૂટક મોંઘવારીમાં ઘટાડો થયો હોવા છતાં પણ શહેરી વિસ્તારોમાં મોઁઘવારી વધી છે. શહેરી વિસ્તારોમાં એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર 8.09 ટકા રહ્યો હતો જે મે મહિનામાં વધીને 8.20 ટકા રહ્યો હતો. શાકભાજી, ફળો, દૂધ, મસાલાના ભાવ વધતા મોંઘવારી વધી હતી. શાકભાજી, ફળો, દૂધ, મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી દેશમાં લોકો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. થોડા દિવસો પહેલા, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારતના ફુગાવાના અનુમાનને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો. તેમણે આ નિર્ણય જૂનમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લીધો હતો. સેન્ટ્રલ બેંકનો નિર્ણય વૈશ્વિક બજારમાં કોમોડિટીની વધતી કિંમતો પર આધારિત હતો.
India's retail inflation at 7.04% in May 2022, as against 7.79% in April 2022. pic.twitter.com/tEEQlZaQei
CPI આધારિત ફુગાવો શું છે?
ઉલ્લેખનીય છે કે આપણે ફુગાવાના દરની વાત કરીએ છીએ, તો અહીં આપણે કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવાની વાત કરી રહ્યા છીએ. CPI સામાન અને સેવાઓના છૂટક ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે જે ઘરો તેમના રોજિંદા ઉપયોગ માટે ખરીદે છે.CPI ચોક્કસ કોમોડિટી માટે છૂટક કિંમતો માપે છે. આ ગ્રામીણ, શહેરી અને સમગ્ર ભારતમાં જોવા મળે છે. સમયાંતરે ભાવ સૂચકાંકમાં ફેરફારને CPI આધારિત ફુગાવો અથવા છૂટક ફુગાવો કહેવામાં આવે છે.