પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાની બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત આગળ વધી રહી છે. ટૂંક સમયમાં મુંબઇમાં બુલેટ ટ્રેનાના રસ્તાનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ મહાત્વાકાંક્ષી યોજના વિષે જાણો રસપ્રદ વાતો..
દરરોજના 70 ફેરા:
મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનના દરરોજ 70 ફેરા કરવામાં આવશે. આમાંથઈ 35 સાબરમતીથી મુંબઇ રવાના જશે જ્યારે 35 મુંબઇથી સાબરમતી માટે રવાના થશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ જણાવ્યું કે સવારે 7થી 10 અને સાંજે 5થી 9 સુધી પ્રતિકલાક બન્ને દિશાઓમાં 3 બુલેટ ટ્રેન સર્વિસ શરૂ કરવામાં આવશે. જ્યારે બાકીના સમયમાં પ્રતિકલાક 2 ફેરા કરવામાં આવશે.
જમીન માટે રાજ્યસરકાર કરી રહી છે મદદ:
મુંબઇમાં BKC (બાંદ્રા-કુર્લા સંકુલ) સ્ટેશન માટે રાજ્ય સરકારે MMRDAની જમીન રેલવેને સોંપી દીધી છે. આ સિવાય અન્ય જરુરી જમીન માટે સરકારે એક અધિકારીની નિમણુક કરી છે જે મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણ કરવામાં રેલવેની મદદ કરી શકે.
1 ડબ્બો બિઝનેસ ક્લાક:
બુલેટ ટ્રેનના એક રેકમાં 10 ડબ્બા હશે જેમાં 9 ઇકૉનમી ક્લાસના હશે જ્યારે એક કોચ બિઝનેસ ક્લાસ હશે. એક ટ્રેનમાં કુલ 7 શૌચાલય હશે જેમાં મહિલાએ અને વિકલાંગો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા હશે. ટ્રેનમાં એક સ્પેશિયલ રૂમ હશે જેમાં જો કોઈ પેસેન્જરની તબિયત ખરાબ હોય તો તેમાં આરામ કરી શકે.
થાણે નહી દિવા-દાતિવલી વચ્ચે હશે સ્ટેશન:
મુંબઈમાં બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન બાંદ્રા-કુર્લા સંકુલ(BKC)માં હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર BKCથી આ ટ્રેન ટનલની મદદથી દિવા જશે. અહીં એક સુરંગ બનાવવામાં આવશે જે 27 કિલોમીટર લાંબી હશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેન BKCથી દિવા તરફ જશે અને દિવા-દાતિવલી વચ્ચે બીજું સ્ટેશન હશે.
કુલ 12 સ્ટેશન:
સાબરતમી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બિલમૌરા વાપી બોઇસર વિરાર દાતિવલી-દિવા BKC
સૂચના:
પેસેન્જર્સને મરાઠી હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સૂચના આપવામાં આવશે.
સ્ટાફ:
360 રેલ કર્મચારીઓને બુલેટ ટ્રેન માટે જાપાનમાં ટ્રેનિંગ આપવામાં આવશે.