ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વહેલી સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ 73.27 ટકા જાહેર થયું છે. આ અંગેની જાણકારી નાયબ પરીક્ષા નિયામક અવનીબાએ આપી હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ગાંધીનગરમાં નાયબ પરીક્ષા નિયામક અવનીબાએ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામની માહિતી આપતા કહ્યું કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં અમદાવાદનું નવરંગપુરા કેન્દ્ર 95 ટકા સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે પંચમહાલના મોરવા રેણા કેન્દ્રનું સૌથી ઓછું 15.43 ટકા પરિણામ આવ્યું છે.
જ્યારે પાટણ જિલ્લાનું સૌથી વધુ 85.03 ટકા પરિણામ સામે આવ્યું છે. જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ સામે આવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં 100 ટકા પરિણામવાળી સ્કૂલોમાં 222 સ્કૂલોનો સમાવેશ છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ પણ બાજી મારી છે.
વિદ્યાર્થીઓનું 67.94 ટકા પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થિનીઓનું 79.27 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે 472 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3 લાખ 55 હજાર 562 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 2 લાખ 60 હજાર 503 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
જો કે આ અગાઉ ગુજરાત સરકારની વેબસાઈટ WWW.GSEB.ORG પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 5 લાખ 33 હજાર વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. કોઇપણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ આ વેબસાઈટ પરથી જોઈ શકશે. જો કે શાળાઓમાં સવારે 10 વાગ્યથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ વિતરણનો કાર્યક્રમ યોજાશે.
પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી તો કેટલાક વિદ્યાર્થીઓએ ધાર્યુ પરિણામ ના મેળવતા ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.