બે વર્ષ બાદ ફરી એકવાર ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી શકાશે જો કે, અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે
શ્રાઈન બોર્ડ દ્વારા તમામ લંગર સમિતિઓને પત્ર લખીને જાણ કરી
LG મનોજ સિન્હાએ તાજેતરમાં અમરનાથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદાયા
મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથયાત્રા થઈ શકી નથી. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર ભક્તો બાબા બર્ફાનીના દર્શન માટે નીકળી શકાશે જો કે, અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા કેટલીક ખાદ્ય ચીજો પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન, લંગરમાં યાત્રીઓને તળેલું ખોરાક, જંક ફૂડ, મીઠી વાનગી, ચીપ્સ, સમોસા જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ આપવામાં આવશે નહી. શ્રાઈન બોર્ડ દ્વારા આ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જેથી કોઈ અપ્રિય ઘટનાને ટાળી શકાય
શ્રાઈન બોર્ડ દ્વારા તમામ લંગર સમિતિઓને પત્ર લખીને જાણ કરી
કહેવામાં આવ્યું છે કે, શ્રાઈન બોર્ડ દ્વારા તમામ લંગર સમિતિઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે. યાત્રા પર આવનાર યાક્ષિકોને માત્ર લીલા શાકભાજી, સલાડ, મકાઈની રોટલી, સાદી દાળ, ઓછી ચરબીવાળું દૂધ અને દહીં જેવા પૌષ્ટિક ખોરાક આપવામાં આવે. શ્રાઈન બોર્ડના આ નિર્ણય પહેલા સ્વાસ્થ્ય નિષ્ણાંતોનો અભિપ્રાય પણ લીધો છે. જેઓ માને છે કે, તીર્થયાત્રીઓનો સ્વાસ્થ્યની સુખાકારી માટે પૌષ્ટિક આહાક ખૂબ જ મહાત્વપૂર્ણ છે.
કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો આપણે શ્રાઈન બોર્ડ દ્વારા ખાદ્યપદાર્થો પર લાદવામાં આવેલ નિયંત્રણોની વાત કરીએ તો, માંસ, માછલીઓ અને દારૂ, તમાકુ અને ગુટખા વગેરે જેવા માદક દ્વવ્યો પર હંમેશા પ્રતિબંધ છે. પરંતુ આ વખતે બોર્ડે બિનઆરોગ્યપ્રદ ખોરાક પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પુલાવ, ભટુરાસ પિત્ઝા, બર્ગર અને તળેલા પરાઠા, ઢોંસા, તળેલીસ રોટલી, બ્રેડ બટર, અથાણું, ચટણી, પાપડ, નૂડલ્સનો સમાવેશ થાય છે. આ સિવાય ઠંડા પીણા , હલવો, જલેબી , ચિપ્સ, મેથી , નકીન, મિશ્રણ , પકોડા, સમોસા અને તામા પ્રકારની ડીપ ફ્રાઈડ વસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેના બદલે મુસાફરો માત્ર પૌષ્ટિક ખોરાક જ પીરસવામાં આવશે.
સુરક્ષા વ્યવ્સથાની સમીક્ષા કરી
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તાજેતરમાં અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ઈન્ટિગ્રેટેડ કમાન્ડની બેઠકમાં મુખ્ય સચિવ તેમજ ગૃહ વિભાગ, જમ્મુ અને કાશ્મીર પોલીસ ,આર્મી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરીટી ફોર્સ અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. અધિકારીઓએ સિન્હાને અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષાની સમગ્ર સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.એક અધિકારીએ જણાવ્યું હતું કે, સિન્હાએ ટેલિકોમ કનેક્ટિવિટી, આરોગ્ય સંભાળ, અગ્નિ સલામતી, વીજળી અને પાણી પુરવઠો, હવામાનની આગાહી, સ્વચ્છતા , રહેવાની વ્યવસ્થા, લંગર વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિગતવાર યોજાનઓની સમીક્ષા કરી હતી.