17મેના રોજ લોકડાઉન 3.0 પૂર્ણ થઈ રહ્યું છે અને સાથે જ ચોથું લોકડાઉન શરૂ થશે. લોકડાઉન વધારવાને લઈને પીએમ મોદીએ દરેક રાજ્યોના સીએમ સાથે તૈયારી અંગેની બેઠક કરી છે. મળતી માહિતી અનુસાર મોટાભાગના મંત્રીઓે લોકડાઉન કાયમ રાખવાના બદલે હોટસ્પોટ વિસ્તારોમાં નિયમો કાયમ રાખીને વોકડાઉન ચાલુ રાખવા જણાવ્યું હતું. તેઓએ સૂચન કર્યું કે જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉન ચાલુ રહે.
લોકડાઉન 4.0માં હોઈ શકે છે આ ખાસ વ્યવસ્થા
આ બાબતોમાં મળી શકે છે છૂટછાટ
આ વિસ્તારોમાં કાયમ રહેશે પ્રતિબંધ
ગૃહ રાજ્યમાં પરત ફરતા કામદારોને તાત્કાલિક રોજગાર પૂરા પાડવા મનરેગા અને માર્ગ પ્રોજેક્ટ વગેરેને ઝડપી બનાવવા પણ નિર્ણય લેવાયો હતો. મળતી માહિતી અનુસાર, ધીમે ધીમે દેશમાં ઉત્પાદન એકમો શરૂ કરવાની યોજના છે.
સાર્વજનિક પરિવહન શરૂ કરવા અંગે પણ સંમતિ
મીટિંગ દરમિયાન મહાનગરોમાં સ્વચ્છતા અને સામાજિક અંતર સાથે સાર્વજનિક પરિવહન શરૂ કરવા અંગે પણ સંમતિ થઈ હતી. સરકારે મર્યાદિત સંખ્યામાં રેલવે સેવાઓને પુનર્સ્થાપિત કરી છે અને હવાઈ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં રેલવે સેવાને જલ્દીથી સામાન્ય સ્તરે પુનઃસ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. વિવિધ મહાનગરોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બસ અને ટેક્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના એક વર્ષના કાર્યકાળ પર પણ થઈ ચર્ચા
30 મી મેના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ વર્ષની સિદ્ધિ તરીકે, કોરોના કટોકટીમાં લેવામાં આવેલા રાહતનાં પગલાં માટેની વિશાળ પ્રચાર વ્યૂહરચના જોવા મળી હતી. સરકાર કક્ષાએ સિધ્ધિઓની પુસ્તિકા છાપવા માટે રણનીતિ બનાવવામાં આવી હતી.