દુનિયાભરમાં સતત ચોથા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો
મૃતકોની સંખ્યામં પણ ઘટાડો નોંધાયો છે.
ટેડ્રોસ એડનમ ગેબ્રેયસસે એવુ જણાવ્યું કે કોરોના વાઈરસ ચેપના મામલે દુનિયાભરમાં આવેલો ઘટાડો પ્રોત્સાહિત કરનાર છે પરંતુ કોવિડ-19 ના ફેલાવાને અટકાવવા માટે કરાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ ન આપવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંગઠનના વડાની આ ચેતવણી ચૂંટણી સભા કરતા રાજકીય નેતાઓ માટે લાલબત્તી સમાન છે.
મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો
તેમણે કહ્યું કે સમગ્ર દુનિયાભરમાં સતત ચોથા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ઘટાડો આવ્યો છે અને મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.
હવે જો કોઈ મોત થાય તો તે વધારે ત્રાસદાયક હશે
વિશ્વ આરોગ્ય સંગઠનના વડાએ કહ્યું કે લાગે છે કે સંક્રમિતો અને મૃતકોની સંખ્યામાં આવેલો આ ઘટાડો આરોગ્ય સંબંધી પગલાંઓને કડકાઈથી લાગુ પાડવાને કારણે આવ્યો છે. આપણે બધા આ ઘટાડાથી પ્રોત્સાહિત થયા છીએ. પરંતુ હાલની સ્થિતિથી સંતુષ્ટ થઈ જવું વાઈરસ જેટલું જ ખતરનાક બનશે. હજુ એવો સમય નથી આવ્યો કે કોઈ પણ દેશ કોરોનાના પ્રતિબંધમાં છૂટછાટ આપી શકે. હવે જો કોઈ મોત થાય તો તે વધારે ત્રાસદાયક હશે કારણ કે કોરોનાની રસી મૂકાવાનું શરુ થઈ ગયું છે.
વાયરસનું કેન્ટ વેરિએન્ટ 'આખા વિશ્વમાં ફેલાયેલું છે
યુકેના જિનેટિક સર્વેલન્સ પ્રોગ્રામના વડા શેરોન પીકોકે બીબીસીને જણાવ્યું છે કે વાયરસનું કેન્ટ વેરિએન્ટ 'આખા વિશ્વમાં ફેલાયેલું છે'. બીજી તરફ, વાયરસનું બીજું એક રૂપ, દક્ષિણ આફ્રિકામાં રસી અને ઇમ્યુનિટીને મ્હાત આપી રહ્યું છે. કોવિડ વાયરસના ત્રીજા સ્વરૂપમાં બ્રાઝિલમાં ફરીથી કેવી રીતે વધારો થવાનું શરૂ થયું છે, જ્યારે માનવામાં આવે છે કે ગયા વર્ષના ઉનાળામાં બ્રાઝિલે હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરી હતી.