કોરોના વાયરસના પગલે અંદાજિત એક મહિનાથી સમગ્ર દેશમાં લૉકડાઉન છે. શનિવારથી રમઝાનનો મહિનો પણ શરૂ થઇ ગયો છે. પોલીસ પણ આ દરમિયાન કાયદો વ્યવસ્થાને લઇને ઘણી સતર્ક છે. ત્યારે હવે રાજ્યમાં થતી તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ પર રોક લગાવી દેવામાં આવી છે.
લોકડાઉનના અમલીકરણ સુધી ગૃહવિભાગે લગાવી રોક
ધાર્મિક સ્થળો પર લોકોને એકત્રિત થવા પર રોક
લાઉડ સ્પીકર કે અન્ય માધ્યમોનો ધાર્મિક પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકાશે નહિ
કેન્દ્ર સરકારની ગાઈડલાઇનના આધારે રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રાજ્યમાં થતી તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ પર લોકડાઉનના અમલીકરણ સુધી ગૃહ વિભાગે રોક લગાવી છે. ધાર્મિક સ્થળો પર લોકોને એકત્રિત થવા અને લાઉડ સ્પીકર કે અન્ય માધ્યમોનો ધાર્મિક પ્રવૃત્તિ માટે ઉપોયગ કરી શકાશે નહીં. લોકો એકત્ર ન થાય તે માટે ધર્મગુરૂઓએ અપીલ કરવાની રહેશે.
મહત્વનું છે કે સ્મશાન યાત્રા અને લગ્ન પ્રસંગ માટે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. જોકે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લખનૌમાં 30 મે સુધી તમામ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી 144 લાગૂ કરવામાં આવી છે. રમઝાન અને મોટા પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી નહીં.