કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસ અને તેનાથી થઇ રહેલી મોતથી ચિંતિત તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ સોમવારે 4 જિલ્લામાં સખત લૉકડાઉનની જાહેરાત કરી છે. તેમના આદેશ પ્રમાણે ચેન્નાઇ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લૂરમાં સખત લૉકડાઉન અમલી બનશે. જેનો અમલ લૉકડાઉન 19 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે.
તમિલનાડુમાં કોરોના બન્યો બેફામ
સરકારે મુખ્ય 4 જિલ્લામાં સંપૂર્ણ લૉકડાઉનની કરી જાહેરાત
આ પહેલા સોમવારે હેલ્થ એક્સપર્ટની કમિટીએ મુખ્યમંત્રી પલાનીસ્વામીથી કોવિડ-19 અને લૉકડાઉનને લઇને વાતચીત કરી હતી, કમિટીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું કે, ચેન્નઇમાં કોરોના વાયરસના કેસને રોકવા માટે સખત લૉકડાઉન લાગુ કરવાની જરૂર છે.
મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારને કર્યો સવાલ
આપને જણાવી દઇએ કે, ચેન્નઇ અને તેના ઉપનગરોમાં કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા મામલા ચિંતાજનક સ્થિતિને ધ્યાને લેતા મદ્રાસ હાઇકોર્ટે 11 જૂનના રોજ તમિલનાડુ સરકારને સવાલ કર્યો હતો કે, વૈશ્વિક મહામારીને ફેલાતો રોકવા માટે કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કેમ નથી કરવામાં આવતું ?
Tamil Nadu Chief Minister Edappadi K. Palaniswami announces 'maximized restricted lockdown' from 19th to 30th June in areas of Chennai, Kanchipuram, Chengalpattu and Tiruvallur districts which come under Metropolitan Chennai Police limits. pic.twitter.com/ZkXN5Llf7Z
ન્યાયમૂર્તિ વિનીત કોઠારી અને ન્યાયમૂર્તિ આર સુરેશ કુમારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણના કાબૂ કરવા માટે તમિલનાડુ સરકારે પગલા ભર્યા તેમ છતાં મહાનગર અને તેના બહારના વિસ્તારમાં સંક્રમણના મામલાની સંખ્યા ઝડપથી વધી રહી છે અને હાલત ચિંતાજનક બની રહી છે.
અદાલતે ડિજીટલ માધ્યમ દ્વારા કરી સુનાવણી
અદાલતે સરકારના વકીલ વી જયપ્રકાશ નારાયણથી ડિજીટલ માધ્યમ દ્વારા સુનાવણીમાં જણાવ્યું હતું કે, એટલા માટે અમે તે જાણવા ઇચ્છીએ છીએ કે, સરકારે કેટલીય વિશેષ યોજના બનાવી છે જેમાં ચેન્નઇ અને તેની આસપાસના વિસ્તારમાં સંક્રમણને ફેલાતો રોકવા માટે પૂર્ણ લૉકડાઉન અથવા કરફ્યુ પર વિચાર કરવામાં આવ્યો છે.