રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરના વટવા અને નારોલમાં લાગુ કરાયો અશાંત ધારો
મિલ્કત વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની પૂર્વમંજૂરી લેવી જરૂરી
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.30 જૂન-2023 સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે
નાગરિકોની સુખ,શાંતિ અને સલામતી માટે લેવાયો નિર્ણય
રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ,શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.
અમદાવાદ કલેકટરની લેવી પડશે મંજૂરી
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે. વટવા અને નારોલના જે વિસ્તારોમાં તા.30 જૂન-2023 સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારોની યાદી આ મુજબ છે.