દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર હવે કચરાના ઢગલાઓ થવા લાગ્યા છે. પર્વતારોહણથી માઉન્ટ એવરેસ્ટ પર જનારા ધનીક પર્વતારોહીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે માનવામાં આવે છે તે પર્વતારોહી ત્યાંના પર્યાવરણનું બિલ્કુલ ધ્યાન રાખી નથી રહ્યા. જેના કારણે માઉન્ટ એવરેસ્ટ કચરાના ઢગલામાં તબદીલ થઈ રહ્યો છે.
માઉન્ટ એવરેસ્ટના આઠ હજાર 848 મીટર લાંબા રસ્તામાં પર્વતારહીઓ પોતાના ટેન્ટ ખરાબ થઈ ગયેલા ઉપકરણો ખાલી ગેસ સિલેન્ડર અને માનવીય વેસ્ટ પણ છોડીને આવે છે.
18 વખત એવરેસ્ટની ચઢાઈ કરનારા પેમ્બા દોરજે શેરપાએ કહ્યુ છે કે 'આ ખુબ નિંદનીય વાત છે. આંખોમાં પણ ખુચે છે.' સ્થિતિ તો એ છે કે પહેડ પર ટનોની માત્રામાં કચરો પડ્યો છે. એવરેસ્ટ પર ચઢનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
સાથે જ વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પીગળી રહેલા હિમનદોંની સાથે-સાથે કચરો પણ ઉભરીને આવી રહ્યો છે. ભલે કચરો ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય સાગરમાથા પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અનુસાર વર્ષ 2017માં નેપાળના પર્વતારોહી લગભગ 25 ટન કચરો અને 15 ટન માનવીય અપશિષ્ટ નીચે લઈને આવ્યા હતા. આ મોસમમાં તેનાથી પણ વધારે કચરો નીચે લાવવામાં આવ્યો છે. પરંતુ આ પ્રત્યેક વર્ષે ત્યાં જમા થનારા કચરાનો માત્ર નાનકડો ભાગ છે.
પહાડી પર ટનોંની માત્રામાં કચરો પડ્યો છે જેમાં દિવસેને દિવસે વધારો થી રહ્યો છે. રિપોર્ટની માનીએ તો આ વર્ષે અત્યાર સુધી ઓછામાં ઓછા 600 લોકો ચોટી સુધી પહોંચી ચુક્યા છે. પાંચ વર્ષ પહેલા નેપાળે નિયમ બનાવ્યો હતો કે પર્વત પર ચઢનારી પ્રત્યેક ટીમને લગભગ અઢી લાખ રૂપિયા જમા કરવવાના રહેશે. જે પર્વતારોહી પોતાની સાથે ઓછામાં ઓછો આઠ કિલોગ્રામ કચરો લાવશે તેને આ રાશિ પાછી આપવામાં આવશે.