મહારાષ્ટ્રના CM પહોંચ્યા હતા અંતિમ દર્શને
દિલીપ કુમારના અંતિમ દર્શને સેલેબ્સ પહોંચી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પણ અભિનેતાના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે.
શબાના આઝમી એક્ટરના અંતિમ દર્શન માટે ઘરે પહોંચી હતી. અક્ષય કુમાર, સની દેઓલ, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ લોકોએ એક્ટરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિદ્યા બાલન પહોંચી
બોલીવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન પોતાના પતિ સાથે દિલીપ કુમારના નિવાસ્થાને અંતિમ દર્શન માટે પહોંચી હતી. તેણે કાળા રંગનો ડ્રેસ અને તેના પતિએ પણ કાળા રંગનો શર્ટ પહેર્યો હતો.
ધર્મેન્દ્ર પહોંચ્યા દિલીપ કુમારના અંતિમ દર્શને
દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર પણ દિલીપ કુમારના અંતિમ દર્શને પહોંચી ગયા છે.
વિરાટ કોહલીએ આપી શ્રદ્ધાંજલિ
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્વિટ કરીને લખ્યું કે, આજે એક આઇકોન કે જેને દરેક જનરેશન પ્રેમ કરતી હતી તેમનું નિધન થઇ ગયુ છે. દિલીપજીની આત્માને શાંતિ મળે, તેમના પરિવારને મારી સાંત્વના.
પ્રધાનમંત્રી મોદીએ કર્યો ફોન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલીપ કુમારની પત્ની સાયરા બાનોને ફોન કરીને સાંત્વના પાઠવી હતી. સાથે જ તેમણે ટ્વિટ કર્યુ કે, દિલીપ કુમારજીએ ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ પ્રાપ્ત હતા. જેના કારણે દરેક ઉંમરના લોકો તેમના ફેન રહ્યા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે મોટો ઝટકો છે.
આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા-શિવરાજ સિંહ ચૌહાન
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને લખ્યું શ્રી દિલીપ કુમારજીના રુપમાં આજે આપણે એક મહાન અભિનેતાને ગુમાવ્યા છે. ભારતીય સિનેમામાં પોતાના અસાધારણ યોગદાન માટે તેમને હંમેશા યાદ કરાશે. મનોરંજન જગત માટે આ અપૂર્ણીય ક્ષતિ છે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.
આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે- કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાની ટ્વીટમાં લખ્યું કે હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારજીના ચાલ્યા જવુ બોલિવુડનો એક અઘ્યાય પુરો થવા સમાન છે. તે આપણા બધાના દિલમાં હંમેશા જીવતા રહેશે. ઈશ્વર તેમની દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. વિનમ્ર શ્રદ્ધાંજલિ.