ત્રણ રાજ્યોની વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી અને ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમજ ગુજરાતમાં પણ ભારે રસાકસી બાદ સત્તા મળી હતી. આમ મોદીનો જાદુ લોકો પરથી ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે કવાયત તેજ કરી છે.
ભાજપ દ્વારા 2019ની ચૂંટણી માટે 18 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી નિશ્ચિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની જવાબદારી ફરી એકવાર ઓમ પ્રકાશ માથુરને સોંપાઈ છે.
2019ની લોકસભાની ચૂંટણી માટે ઓમ પ્રકાશ માથુરની ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.જ્યારે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝાડફિયાની ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે તેમજ વર્તમાન પ્રભારી ભૂપેન્દ્ર યાદવને બિહારના પ્રભારી બનાવાયા છે.
મહત્વનું છે કે 2014મા પણ ઓ પી માથુર ના શિરે ગુજરાતની જવાબદારી હતી જેમાં ગુજરાતમાથી તમામ 26 બેઠકો ભાજપને મળી હતી.