જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે જેટલા વધુ લોકોનું રસીકરણ થાય છે, તેટલું દેશ અને અર્થતંત્ર માટે વધુ સારું છે. આ રસી કોઈ રાજકીય પક્ષની નથી. આ માનવતા માટે છે અને તે સંવેદનશીલ લોકો સુધી વહેલા પહોંચે છે, તેટલું વધુ સારું.'
ઓમાર અબ્દુલ્લાએ વેક્સિનને લઈને આપ્યું નિવેદન
કાશ્મીરના પૂર્વ CM એ કહ્યું,'વેક્સિન કોઈ પાર્ટીની નથી હોતી'
જેટલા વધુ લોકોનું રસીકરણ થાય તેટલું વધુ સારું : ઓમાર અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કોરોના રસી અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે આ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જેટલા લોકો રસી લેશે તે દેશ અને અર્થતંત્ર માટે વધુ સારું છે. આ રસી કોઈ રાજકીય પક્ષની નથી. આ માનવતા માટે છે અને તે સંવેદનશીલ લોકો સુધી વહેલા પહોંચે છે, તેટલું સારું.
મહત્વનું છે કે રસીના મામલે વિવાદ ત્યારે વકર્યો જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોરોના વેક્સિનને ભાજપની વેક્સિન કહીને નિંદા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભાજપની વેક્સિન લગાવવાના નથી. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઓમરે કહ્યું, 'હું બીજા વિશે જાણતો નથી. પરંતુ જ્યારે મારો વારો આવશે, ત્યારે હું રાજીખુશીથી મારા હાથ આગળ કરીશ અને કોરોના રસી લઇશ. આ વાયરસથી અત્યાર સુધીમાં ખૂબ જ તબાહી થઈ છે. આવી સ્થિતિમાં, જો રસી દ્વારા પરિસ્થિતિ સામાન્ય છે, તો મારી બાજુથી હા છે.
અખિલેશે રસી લેવાની ના પાડી
સમાજવાદી પાર્ટી (સપા) ના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ એ કહ્યું છે કે તે કોરોના રસી લેવામાં નથી માનતા.અખિલેશે કહ્યું, ' કેમ કે મને ભાજપ રસી પર વિશ્વાસ નથી.' જોકે, જ્યારે ભાજપે તેમને ઘેરી લીધા ત્યારે અખિલેશ યાદવે કહ્યું કે તેમને વિજ્ઞાનીઓની કાર્યક્ષમતા પર પૂરો વિશ્વાસ છે. પરંતુ ભાજપ ની તાળી - થાળી અંગેના અવૈજ્ઞાનિક વિચારસરણીમાં વિશ્વાસ નથી.
અખિલેશ યાદવે રીટવીટ કરીને આગળ કહ્યું કે, 'અમને વિજ્ઞાનીઓની કાર્યક્ષમતા પર પૂરો વિશ્વાસ છે પરંતુ ભાજપની વેક્સિન અને તે માટેની તબીબી પ્રણાલીની પર ભરોસો નથી જે કોરોના કાળમાં ઠપ્પ થયેલી પડી છે. સમાજવાદી સરકાર રસી મફતમાં આપશે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે તેમનું નિવેદન રાજકારણથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું
સપાના વડાના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે "પીએમ મોદીએ જાન હૈ થી જહાં હૈ વિશે બોલ્યા છે અને અમુક લોકો તેમના ડૂબતા રાજકારણને બચાવવા કમનસીબ નિવેદનો આપી રહ્યા છે. "