સાબરકાંઠામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે સી.આર.પાટીલે દલિત મહિલાની કરી ચરણવંદના
સાબરકાંઠામાં દલિત મહિલાઓનું સન્માન
જાહેરમંચ ઉપર દલિત મહિલાની કરી ચરણવંદના
CM અને પ્રદેશ અધ્યક્ષે કર્યા ચરણસ્પર્શ
સાબરકાંઠામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું સરાહનીય પગલું જોવા મળ્યું હતું, દલિત સમાજની લોકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી ચરનવંદના કરી હતી.
જાહેરમંચ ઉપર દલિત મહિલાની કરી ચરણવંદના
સાબરકાંઠામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દલિત સમાજની મહિલાઓ ચરણસ્પર્શ કર્યા હતા. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, નેતાઓની હાજરી વચ્ચે CM અને પ્રદેશ અધ્યક્ષે ચરણસ્પર્શ કર્યા હતા. દલિત મહિલા સન્માન સમારોહમાં સીઆર પાટીલે સંબોધન દરમિયાન જણાવ્યું કે દલિત મહિલાને હવે સાચું સન્માન મળ્યું છે. પહેલા કરતા હવે જરૂર ફરક આવ્યો છે દરેક સમાજની સાથે ખભે ખભો મિલાવી ચાલીએ છીએ, રોહિત સમાજમાંથી આવતા મહિલા આજે મંત્રી છે તેમને મહત્વની જવાબદારી પણ આપી છે. દેશમાં પણ આવી જ સ્થિતિ છે હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું.
CM અને પ્રદેશ અધ્યક્ષે કર્યા ચરણસ્પર્શ
ગુજરાતમાં જાતિ વિષયક પુછતા નથી સી.આર. પાટીલે કહ્યું કે ફોટા પાડવાના બંધ કરો રસોડામાં પત્નીને મદદ કરો અને ગીફ્ટ આપો આવુ કરવાથી સમાજ પાછો નહિ પડે પાટીલે વધુમાં કહ્યું કે જવાબદાર લોકો આગેવાની લે, તો જ પાર્ટીની સિસ્ટમમાં મજબૂતી આવશે, મહત્વનું છે કે અગાઉ PM મોદીએ પણ દલિત સમાજના પગ ધોયા હતા તેને યાદ કરતા પાટીલે કહ્યું કે દેશના પ્રધાનમંત્રી આવુ કામ કરનાર પ્રથમ છે જેમણે દલિત સમાજના પગ ધોયા હતા. મહત્વનું છે કે આજે CM અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જાહેર મંચ ઉપર દલિત સમાજની મહિલાઓના ચરણસ્પર્શ કર્યા છે સીએમ ટુંક સમયમાં પાંચ પરીવાઓ ને જમણ માટે બોલાવશે તેવું પણ પાટીલે જણાવ્યું છે.