જ્યારે પણ આપણે કોઇ શિવના મંદિરમાં જઇએ છીએ તો મોટાભાગે જોવામાં આવે છે કે કેટલાક લોકો શિવલિંગની સામે બેસીને નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે. આ એક પરંપરા બની ગઇ છે. આ પરંપરાની પાછળ એક માન્યતા છે. આજે અમે તમને એ માટે જ જણાવી રહ્યા છીએ.
એક જ્યોતિષના જણાવ્યા અનુસાર જ્યાં પણ શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના જરૂરથી કરવામાં આવે છે. કારણ કે નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે તો એ નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે. એની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને એ હંમેશા સમાધિમાં રહે છે. એવામાં એમના સુધી આપણી વાત પહોંચી શકતી નથી. આ સ્થિતિમાં નંદી જ આપણી મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીને પોતાની મનોકામના કહે છે.
શિવનો જ અવતાર છે નંદી
શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતી. વંશ સમાપ્ત થતો હોવાનું જોતા એમના પિતરોએ એમને સંતાન પેદા કરવાનું કહ્યું. શિલાદ મુનિએ સંતાન ભગવાન શિવની પ્રસન્ન કરીને અયોનિજ અને મૃત્યુહિન પુત્ર માંગ્યો ભગવાન શિવે શિલાદ મુનિને આવું વરદાન આપ્યું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન પર ઊભા હતા ત્યારે એમને એક બાળક મળ્યું. શિલાદે એનું નામ નંદી રાખ્યું.
એક દિવસ મિત્રા અને વરુણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. એમને જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. એ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યા. પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે તુ મારો જ અંશ છે એટલા માટે તને મૃત્યુથી ભય કેવી રીતે થઇ શકે છે? આવું કહીને ભગવાન શિવે નંદીના પોતાના ગણાધ્યક્ષ પણ બનાવ્યા.