CBIના પૂર્વ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અસ્થાનાની નિયુક્તિ પર કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યો હતો.
રાકેશ અસ્થાના વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પસાર
CBIના પૂર્વ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અસ્થાનાની નિયુક્તિ પર કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતા રામવીર બીધૂડીએ સદનમાં કહ્યું કે "સત્તાધારી પાર્ટીના વિધાયકો પાસે રકેશ અસ્થાના વિશે જાણકારીનો અભાવ છે, 2001 માં તેમને મેડલ આપવામાં આવ્યું હતું, તેમના કામ માટે. જ્યારે 2009 માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ રાકેશ અસ્થાનાને પ્રેસિડેન્ટ પોલીસનું મેડલ આપવામાં આવ્યું હતું. જ્યારે દેશના રાષ્ટ્રપતિ તેમને સમ્માનિત કરી રહ્યા હોય તો આપણે સૌએ તેમની નિયુક્તિને સ્વીકારી લેવી જોઈએ.
રાકેશ અસ્થાનાને પ્રેસિડેન્ટ પોલીસનું મેડલથી નવાજ્યા
તમને જણાવી દઈએ કે રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. આ પહેલા એસએન શ્રીવાસ્તવે દિલ્હીના પોલીસ કમિશ્નરનું પદ સંભાળ્યું હતું. જેના પછી IPS અધિકારી બાલાજી શ્રીવાસ્તવને લુક આફ્ટર ચાર્જ આપવામાં આવ્યો. પણ હવે રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક કરી દેવામાં આવ્યા.
CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર રહી ચૂક્યા છે
ગુજરાત સાથે અસ્થાનાની કારકિર્દી લાંબી રહી છે. સુરત શહેરમાં સૌથી વધુ સમય પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા પોલીસ કમિશનર રહી ચૂક્યાં છે. આસારામ બાપુ અને એમના પુત્ર નારાયણને સંડોવતા બળાત્કારના કેસ વખતે અસ્થાના સુરતના પોલીસ કમિશનર હતા. પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરને કમાન્ડ એન્ડ કંટ્રોલથી સજ્જ કર્યું હતું. ત્યાર બાદ રાકેશ અસ્થાનાની 23 ઓકટોબર 2017માં CBIમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. CBIના એડીશનલ ડિરેક્ટર તરીકે રાકેશ અસ્થાનાની નિમણુક કરાઇ તે પહેલા તેઓ ગાંધીનગર ખાતે હથીયારી યુનીટમાં ટુંકા ગાળા માટે સેવા આપી ચૂક્યાં છે.