અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ચોથો દિવસ છે, ત્યારે OPD, ઈમરજન્સી સેવા સિવાય તમામ કામગીરીથી તબીબો અળગા જોવા મળી રહ્યા છે
રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો ચોથો દિવસ
રેસિડેન્ટ ડૉક્ટર્સ કામથી રહેશે અળગા
અલગ અલગ 4 માંગો સાથે હડતાળ
અમદાવાદ સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ચોથો દિવસ છે, ત્યારે OPD, ઈમરજન્સી સેવા સિવાય તમામ કામગીરીથી તબીબો અળગા જોવા મળી રહ્યા છે તબીબોની હડતાળને પગલે હોસ્પિટલમાં ઓપરેશન, કોવિડમાં કામગીરી પણ ઠપ જોવા મળી રહી છે. હડતાળ પર બેઠલા તબીબોએ 'વી આર હ્યુમન્સ, નોટ રોબોટ્સ' ના લખાણવાળા પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. રેસિડેન્ટ ડૉક્ટર્સ પોતાની માંગને લઈને અડીખમ છે, તબીબો 4 માંગો સાથે હડતાળ પર ઉતર્યા છે. બી.જે.મેડિકલ કોલેજ, NHL, શારદાબેન હોસ્પિટલમાં અંદાજીત 1 હજાર તબીબો હડતાળ પર ઉતરતા રૂટિન OPDને પણ અસર થઈ છે.
રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો ચોથો દિવસ
અમદાવાદ,રાજકોટ સુરત સહીતનાં તબીબી વિધાર્થીઓ ની હડતાલને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સરકારી મેડિકલ હોસ્પિટલમાં વધુ સ્ટાફ ફાળવાશે, સાથે સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકીને જોતા આરોગ્ય વિભાગે મેડિકલ હોસ્પિટલોમાં 25 -25 મેડિકલ ઓફિસર ફાળવવા પણ નિર્ણય કર્યો છે. દર્દીઓની OPDમાં સારવાર મળી રહે તે માટે આ નિર્ણય મહત્વનો છે. મેડીકલનાં વિદ્યાર્થીઓની PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓને લઈને હડતાળ ચાલી રહી છે.
રેસિડેન્ટ ડૉક્ટર્સ કામથી રહેશે અળગા
મહત્વનું છે કે ગુજરાતમાં ફરી રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે, PGમાં પ્રવેશ સહિત વિવિધ મુદ્દાઓ પર માગ ન સ્વીકારાતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ગત અઠવાડિયે પણ તબીબો એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો OPDમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો છે, પરતું દર્દીઓને પરેશાની ન ભોગવવી પડે એ માટે હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલું રહેશે તેવું તબીબો જણાવી રહ્યા છે. રાજકોટમાં 200થી વધારે રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર
અલગ અલગ 4 માંગો સાથે તબીબોની હડતાળ
આ તરફ રાજકોટમાં આજથી રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી રહ્યા છે, 200થી વધારે ડૉક્ટરો હડતાળ પર જતા મેડિકલ કોલેજના ટ્યુટર્સ અને મેડિકલ ઓફિસરને ફરજ પર રહેવા સૂચના અપાઈ છે, દર્દીઓ પરેશાન ન થાય તે માટે હોસ્પિટલ સત્તાધીશોનો નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડૉક્ટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે તબીબોની માંગ અને સરકાર વચ્ચેની લડાઈમાં સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સુરત સિવિલ-સ્મીમેરના હોસ્પિટલના તબીબોની હડતાળ યથાવત
બીજી તરફ સુરતની સિવિલ-સ્મીમેરના હોસ્પિટલના તબીબોની હડતાળ યથાવત જોવા મળી રહી છે, ત્યારે આજથી ઇમરજન્સી સેવાઓ પણ તબીબોએ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં સવારથી ઇમરજન્સી સેવા બંધ કરવામાં આવી છે ત્યારે જ્યારે નવી સિવિલમાં સાંજે પાંચ વાગેથી ઇમરજન્સી સેવા બંધ કરાશે તેવું તબીબોએ એલાન કર્યું છે. હવે ઇમરજન્સી સેવા બંધ કરાતા હોસ્પિટલ આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની પડતર પ્રશ્નો અને માગોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તબીબો હડતાળ યથાવત રાખવની ચીમકી ઉચ્ચારી છે.