કચ્છ: ગાંધીધામ શહેર ખાતે આવેલ નૂરી મસ્જિદ પાસે ગત મોડી સાંજે રાતે કાર અને ડમ્પર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાવાની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો દ્વારા પસાર થતાં તમામ ઓવરલોડ વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા. આ ચક્કાજામને કારણે ગાંધીધામના આ માર્ગ ઉપર વાહનોનો ચક્કાજામ થઇ જવા પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો સંભાળી લીધો હતો. ઉલ્લેખનીય છે કે શહેરના નૂરી મસ્જિદ પાસે ગત મોડી સાંજે એક કાર અને ડમ્પર વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. બાદમાં ત્યાં એકઠા થયેલા લોકોએ અન્ય ભારે વાહનોને રોકાવી દીધા હતા અને આર.ટી.ઓ.ને જાણ કરી આવા વાહનચાલકો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી હતી.
પરંતુ આ અંગે કાંઈ ન થતાં ચક્કાજામ કરાયો હતો અને વાહનોની કતાર આ માર્ગ ઉપર લાગી ગઈ હતી.આ ચક્કાજામને કારણે કેટલાય વાહનો કલાકો સુધી અટવાઇ પડ્યા હતા. પરંતુ બાદમાં જેમનો અકસ્માત થયો હતો તેમની વચ્ચે સમાધાન થતાં માર્ગ ખુલ્લો કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાન સામાન્ય અકસ્માતથી ચક્કાજામ જેવી સ્થિતિ થતાં અન્ય લોકોને તકલીફ પડી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.