રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને NCP જળસંકટ સપ્તાહ ઉજવી રહ્યુ છે. ત્યારે આ મામલે NCP નેતા રેશમા પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
જેમાં તેણે ભાજપ ગુજરાત મોડલના નામે ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ પાણીને લઈને ગામડાઓની પરિસ્થિતિ અંગે રાજ્યપાલને અહેવાલ આપવાની વાત કરી હતી. તો ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે અને તંત્ર દ્વારા કોઈ સમાધાન કરવામાં નથી આવી રહ્યુ તેમ પણ રેશમા પટેલે કહ્યુ હતું.
કોંગ્રેસ પણ આવ્યું હરકત
ગુજરાતમાં પ્રવર્તી રહેલ પાણીની સમશ્યા ને લઈને ગુજરાત કોંગ્રેસ આંદોલનના મૂડમાં જણાઈ રહી છે આ અંગે કોંગ્રેસે તાલુકા જિલ્લા સંગઠનને પાણીની સમશ્યા અંગે રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી દીધી છે. જે અંતર્ગત ૮ મી તારીખથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન તેમના વિસ્તારમાં પાણીને લઈને જે પણ સમસ્યા છે તે અંગેનો એક રીપોર્ટ સ્થળ તપાસ કરીને તૈયાર કરશે.
જે રીપોર્ટનો પાણી અંગેનો એક અહેવાલ તૈયાર કરીને જે વિસ્તારમાં પાણીની સમસ્યા ઘેરી બની છે ત્યારે કોંગ્રેસ સ્થાનિક પ્રશાશન અને રાજ્ય સરકારને માંગ કરશે કે લોકોની સમસ્યા અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરે. જો સરકાર આવું નહિ કરે તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉચ્ચારી છે.
આ સાથે સરકાર પર પ્રહારો કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જળ સંચયના નામે આ સરકારે લાખો બોરીબંધ થકી કરોડોનો ભ્રસ્ટાચાર કર્યો ગુજરાતનો એકપણ વિસ્તાર એવો નથી કે લોકો પાણી ને કારણે ત્રાહિત ના થયા હોય અને હવે આગામી દિવસોમાં જો ત્વરિત ધોરણે સરકારપાણી ની સમશ્યાનો હલ નહિ કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે..