પાટીદાર આંદોલનમાં શહીદ પરિવારોને 2 જ મહિનામાં નોકરી અપાવી દેવા મામલે રેશમાએ કહ્યું કે 'એ શું નોકરી અપાવી દેવાનો?'
ભાજપમાં પ્રવેશ બાદ હાર્દિક પટેલનું મોટું નિવેદન
આંદોલનમાં શહીદ પરિવારોના યુવાનોને નોકરી અપાવવાનો હાર્દિકે કર્યો વાયદો
ભાજપે હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો આ શું અપાઇ દેવાનો?: રેશમા
હાર્દિક પટેલે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી માર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાટીદાર આંદોલનને લઇને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'પાટીદાર આંદોલન સમયે જે યુવાનોના મૃત્યુ થયા હતા તે યુવાનોને પૂરી મદદ થાય તે માટેના પૂરા પ્રયાસ કરીશું. જ્યાં સુધી તે મદદ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારી સાથેના અન્ય ત્રણ મિત્રોએ સાથે મળીને નક્કી કર્યું છે કે, આવતા 2 મહિનાની અંદર એ જે શહીદ પરિવારો હતા તેના પરિવારના તમામ યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા અમે લોકો આવતા 2 મહિનાની અંદર કરી આપીશું.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2022
ભાજપે હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો આ શું અપાઇ દેવાનો છે?: હાર્દિક
તો બીજી બાજુ સામે રેશમા પટેલે VTV પર EXCLUSIVE વાતચીત દરમ્યાન એમ કહ્યું કે, 'મને યાદ આવે છે એ પરિવારની વાત કે જ્યારે તેને હું સાથે લઇને ભાજપના મંત્રીઓને, CMને મળી છું, એક-એકની ફાઇલો છે અને હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો આ શું અપાઇ દેવાનો છે? ભારતીય જનતા પાર્ટી એટલી નફ્ફટ કેમ છે, તમે 17ના વાયદા તો પૂરા કરો, પછી તમારે જેને ખરીદવો હોય તેને ખરીદજો. જેને લઇ જવો હોય તેને લઇ જજો. તમે એક પણ વચન નથી પૂરા કર્યા અને આ ભાઇ કહે છે કે હું 2 મહિનામાં પાટીદાર આંદોલનમાં શહીદ યુવાનોના પરિવારને નોકરી અપાવી દેશે. એની શું તાકાત છે? પાછો સુફિયાણી એવી વાતો કરે છે કે હું નોકરી અપાવી દઇશ. હું ક્યાં સળગાવવા ગયો હતો, મે ક્યાં કંઇ કીધું હતું? થોડીક તો શરમ કરવી જોઇએ. એ માતા બહેનો આ જોતા હશે તો એને એમ થાશે કે અમે બધાં પણ એવાં જ ચિતરાઇ જઇશું કે આ લોકો સ્વાર્થ માટે નેતા બન્યા છે.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2022
બોલતા પહેલા હાર્દિકે થોડી શરમ તો કરવી હતી : રેશમા પટેલ
હાર્દિકે થોડી તો શરમ કરવી જોઈતી હતી કે શહીદોના પરિવાર વિશે આવું બોલતા. તેમણે કહ્યું કે હાર્દિકે કહ્યું હું થોડી સળગાવવા ગયો હતો આવું સાંભળતા મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આજ દિન સુધી પાટીદારોના યુવાનોને ન્યાય નથી મળ્યો તો હવે શું હાર્દિક કરી લેવાનો. હવે સૂફિયાણી વાતો કરે છે કે 2 મહિનામાં અમે ન્યાય અપાવી દઈશું.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 2, 2022
અમે કયા મોઢે પરિવાર સાથે વાત કરીએ?
તેમણે કહ્યું હતું કે મૃતકોના પરિવારજનોને અમે ફોન પણ નથી કરી શકતા. તેઓને પૈસા આપવાથી કશું નહીં થાય. અમે ફોન પર વાત નથી કરી શકતા કારણ કે તેઓ સમજે છે કે અમારા કારણે તેમના દીકરાઓ શહીદ થયા. તેમણે કહ્યું હતું કે હું સ્વીકારું છું, પાટીદાર આંદોલનના અમે બધા જ ફેલ છીએ, શહીદના પરિવારને ફોન કરીને પણ શું કરીએ? અમે આગેવાની લઈને નીકળ્યા હતા પણ હવે સમાજ સાથે અન્યાય થયો છે અને એ ભાજપે કર્યો છે. ભાજપે આગેવાનોની હાજરીમાં આપેલ વચનો પૂરા કર્યા નથી.