પાટીદાર આંદોલનથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે છેલ્લા કેટલાય સમયથી પક્ષ સામે બાયો ચડાવી છે. રેશ્મા પટેલ ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચુકતા નથી. ત્યારે રેશ્મા પટેલ દ્વારા ભાજપ પર વધુ એક નિશાન સાધવામાં આવ્યું હતું.
રેશ્મા પટેલે વાયબ્રંટ ગુજરાતના પોસ્ટરને લઇને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે પોસ્ટરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફોટો ન હોવાથી સવાલો ઉઠાવ્યા હતા. રેશ્માએ આક્ષેપ કર્યો છે કે નીતિન પટેલને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે.
વધુમાં રેશ્મા પટેલે કહ્યું કે જો મોટા હોદ્દાવાળાને હાંસિયામાં ધકેલી દેવામાં આવે તો કાર્યકરોનું શું થાય. કારણ કે ભાજપમાં જે લોકો કહ્યું કરે એ લોકોને જ સ્થાન આપવામાં આવે છે. ભાજપનો કાર્યકર્તાઓ હેરાન થઇ રહ્યા છે. કાર્યકરોના કામ થતા નથી.