ગાંધીનગરઃ પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલે બાંયો ચઢાવી છે. રેશમા પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા માટે પહોંચ્યા હતા. અમદાવાદના 5 મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનો સાથે નીતિન પટેલ પાસે પહોંચ્યા હતા. આ પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી.
ડે.સીએમ સાથે મુલાકાત બાદ રેશમા પટેલે નિવેદન આપ્યુ હતુ. સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે મૃતકોના વારસદારોને નોકરી આપવાની દિશામાં પ્રયત્નશીલ છે. આ સાથે જ રેશમાએ એ પણ કહ્યું કે અર્ધ સરકારી સહકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવે. ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવે અને સરકાર પ્રયત્નશીલ બને.
રેશમાએ વધુમાં કહ્યુ કે અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે પણ પ્રયાસો ચાલુ છે. મારા માટે પહેલા સમાજ અને પછી પક્ષ છે.