આ વર્લ્ડકપમાં વરસાદના કારણે અત્યાર સુધી ચાર મેચ રદ થઇ ચુકી છે. નોર્ટિધમના ટ્રેન્ટબ્રિઝ મેદાન પર ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાતી મેચ એનું તાજું ઉદાહરણ છે. નોર્ટિંધમમાં ત્રણ દિવસથી સતત થઇ રહેલા વરસાદ વચ્ચે ટૉસ પણ ઉછળી શક્યો નહીં. લીગ મેચોમાં વરસાદથી રદ થયેલી મેચો બાદ બંને ટીમોમાં 1 1 અંક આપી દેવામાં આવ્યો.
લીગ મેચો માટે કોઇ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. સતત વરસાદના કારણે રદ થઇ રહેલી મેચો બાદ સેમીફાઇનલની ગુથ્થી ઉકેલાઇ જશે. પરંતુ છેલ્લા રાઉન્ડમાં ઘણી ચીજો બદલાઇ જશે. આઇસીસીએ એના માટે તમામ પ્રકારના નિયમોની જાણકારી પણ આપી છે. આ નિયમોથી વરસાદની સ્થિતિમાં સેમીફાઇનલ અને ફાઇનલમાં કેવી રીટે ટીમોને ફાયદો મળશે, ચલો તમને જણાવીએ.
સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં ટાઇ પડવાની સ્થિતિમાં સુપર ઓવરથી મેચનું પરિણામ નિકાળવામાં આવશે. મેચોમાં આ નિયમ લાગૂ નથી.
પોઇન્ટ ટેબલમાં બરાબરના અંક રહેવાની સ્થિતિમાં લીગ મેચોમાં જીતી ગયેલી મેચો, નેટ રનરેટ, હેડ ટૂ હેડ મેચોના પરિણામ અને ટૂર્નામેન્ટથી પહેલા ટીમોની સ્થિતિ માટે જાણ્યા બાદ, જે ટીમો સારી હશે એ ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરી શકશે.
સેમીફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો સેમીફાઇનલ અને ફાઇનવ વરસાદને કારણે રદ થઇ જાય છે તો મેચ બીજા દિવસે રમી શકાશે. જો કે લીગ મેચોમાં રિઝર્વ ડે ની વ્યવસ્થા નથી. સેમીફાઇનલ રિઝર્વ ડે પર પણ રમવામાં આવશે નહીં તો લીગ મેચોમાં જે પણ ટીમ પોઇન્ટ ટેબલ પર ઉપર રહેશે, એને ફાઇનલ માટે ક્વોલિફાઇ માનવામાં આવશે.
વર્લ્ડ કપના ફાઇનલના બંને દિવસે જો વરસાદથી ફાઇનલ રદ થઇ, ત્યારે એવી સ્થિતિમાં બંને ટીમો સંયુક્ત વર્લ્ડ કપના વિજેતા જાહેર કરી દેવામાં આવશે. 2002ની ચેમ્પિયન્સ ટ્રૉફીના બંને દિવસે વરસાદના કારણે મેચ થઇ શકી નહતી. ત્યારે ભારત અને શ્રીલંકા બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.