કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે ગુરુવારે કેટલાક મૂડીવાદીઓના દેવા ધરાવતા ખાતાને રાઈટ ઓફ ખાતાઓ સાથે જોડાયેલા લેખિત અહેવાલોને લઈને કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા ભાગેડુઓ પાસેથી દેવાની વસૂલાત માટે પગલાં ભરવા જોઈએ. પૂર્વ નાણાં પ્રધાને એમ પણ કહ્યું કે આ લોકો પાસેથી દેવું વસૂલ કરવા માટે હાલના નિયમોમાં ફેરફાર કરી શકાય છે.
ચિદમ્બરમે કહ્યુ ભાગેડુ પાસેથી દેવુ વસૂલો
આમ કરશો તો નિરવ, ચોક્સ, માલ્યાને મજા પડી જશે
દેવા માફી કે રાઈટ ઓફની ચર્ચા અવ્યવહારુ છે
ચિદમ્બરમે ટ્વીટ કર્યું હતું કે દેવા માફી અથવા રાઈટ ઓફની ચર્ચા અવ્યવહારુ છે. તેનાથી નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા લોકો ખુશ થશે. નિયમો માણસોએ જ બનાવ્યા છે. જો કોઈ નિયમ બનાવી શકાય છે, તો તે નાબૂદ પણ કરી શકાય છે.
તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ભૂલને સુધારવાનો એકમાત્ર રસ્તો એ છે કે બધી સંબંધિત બેન્કોને આદેશ આપે કે તે પોતાના હિસાબ ખાતામાં લખેલા વિવરણને બદલે તેમજ વહિ ખાતામાં તેને દેવા તરીકે બતાવીને તમામ ભાગેડુઓને પાસેથી તે મેળવે. તેના માટે પગલા ભરે.
હકીકતમાં, કોંગ્રેસનો દાવો છે કે 24 એપ્રિલના રોજ, આરટીઆઈના જવાબમાં રિઝર્વ બેંકે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો અને 50 સૌથી મોટા બેંક કૌભાંડોમાંથી 68,607 કરોડ રૂપિયાની માફી સ્વીકારી હતી. જેમાં ભાગેડુ ઉદ્યોગપતિ ચોક્સી, નીરવ મોદી અને માલ્યાના નામનો સમાવેશ થયો છે.
કોંગ્રેસના દાવાનો વળતો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાત્રે કહ્યું કે જાણીજોઈને દેવુ ન ચુકવનારા સંપ્રગ સરકારની ફોન બેન્કિંગ માટે લાભકારી છે અને મોદી સરકાર તેમની બાકી રકમ વસૂલ કરવા પાછળ પડી છે.