દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં લેટર ઓફ અંડરટેકિંગનો ઉપયોગ કરીને કરોડોની છેતરપિંડી કરવામાં આવી. જોકે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લેટર ઓફ અન્ડર ટેકિંગ પર પ્રતિબંધ ફરમાવી દીધા છે. રિઝર્વ બેંકે LOU અને LOCના ઉપયોગ પર રોક લગાવતા એક પ્રસ્તાવને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી દીધી છે.
સેન્ટ્રલ બેંકના એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે હાલના દિશા નિર્દેશોની સમીક્ષા બાદ ભારતમાં આયાત માટે LOU અને LOC જાહેર કરવા પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવી રહી છે.
પંજાબ નેશનલ બેંકે રિઝર્વ બેંકને માહિતી આપી કે LOU દ્વારા 12 હજાર 967 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાદ ED અને CBIએ તપાસ શરૂ કરતા તેનો રેલો મેહુલ ચોકસી અને નિરવ મોદી સુધી પહોંચ્યો હતો.