કોરોના મહામારીમાં વધી રહેલા ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં ગ્રાહકોને ન ફસાવા માટે આરબીઆઈએ લોકોને સાવચેત કર્યા છે, જેના માટે એક મહત્વની પુસ્તિકા પણ જાહેર કરી છે.
ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને આપી મોટી જાણકારી
ગ્રાહકોએ આવી ભૂલ ન કરવા જણાવ્યું
થઈ શકે છે મોટુ નુકસાન
ભારતીય રિઝર્વ બેંકે હાલના વર્ષોમાં ડિજિટલ છેતરપીંડીના વધતાં કેસોને ધ્યાન લેતા ઓટીપી અને સીવીવી જેવી ગોપનિય બેંકીંગ જાણકારી કોઈની પણ સાથે શેર નહીં કરવાનું કહ્યું છે. આરબીઆઈએ સોમવારે બેંકીંગ છેતરપીંડી પર એક પુસ્તિકા જાહેર કરતા તેના વિશે જાણકારી આપી છે.
મહેનતના પૈસા આંતરી જાય છે ગુનેગારો
આરબીઆઈએ જણાવ્યું છે કે, છેતરપીંડી કરતા લોકો મહેનતની કમાણીના પૈસા હડપી લેવા માટે નવા નવા આઈડીયા અજમાવી રહ્યા છે, તેથી લોકોને ખાસ સતર્કતા રાખવાની જરૂર છે. જે મુજબ નાણાકીય ટ્રાંજેક્શન કરતી વખતે નવા લોકો આ જાળમાં ફસાઈ નહીં તેનું ધ્યાન રાખજો.
ઓટીપી અને સીવીવી શેર ન કરો
રિઝર્વ બેંકની પુસ્તિકામાં નાણાકીય છેતરપીંડી માટે ઉપયોગમાં લેવાતી રીતનું વિવરણ સાથે જ તેનાથી બચવા માટેની પ્રયુક્તિઓ પણ આપી છે. તે મુજબ લોકોએ ક્યારેય પણ નાણાકીય લેવડદેવડ દરમિયાન ઓટીપી અને સીવીવીની જાણકારી કોઈની પણ સાથે શેર ન કરવી જોઈએ.
છેતરપીંડીની ચપેટમાં આવી શકે છે લોકો
કેન્દ્રીય બેંકે છેતરપીંડીની ફરિયાદોનું વિશ્લેષણના આધાર પર તૈયાર આ પુસ્તિકામાં કહેવાયું છે કે, જાણ્યા અજાણ્યા પોતાની લેવડદેવડ દરમિયાન ગોપનિય જાણકારી આપવાથી લોકોને સરળતાથી નાણાકીય છેતરપીંડીની ચપેટમાં આવી શકે છે.
શેર ન કરો ડિટેલ્સ
તેનાથી બચવા માટે જરૂરી છે કે, લોકો કોઈને પણ પોતાના બેંક કાર્ડનું સીવીવી અથવા ડિજિટલ લેવડદેવડના સમયે આવાનારા ઓટીપીની જાણકારી પોતાના પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે પણ શેર ન કરવાની ભલામણ આપવામાં આવે છે.
લોકોએ સાવચેત રહેવાની જરૂર
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર બેંક અધિકારી, નાણાકીય સંસ્થા, આરબીઆઈ ક્યારેય પણ ગ્રાહકો પાસેથી ગુપ્ત જાણકારી માગતા નથી. જો કોઈ આવુ કરે તો, લોકોએ સતર્ક થઈ જવું જોઈએ.